રાષ્ટ્રપતિએ ખાદ્ય સુરક્ષા બિલ પર વટહુકમને આપી મંજૂરી
રાષ્ટ્રપતિ સચિવાલયે ગઇકાલે રાત્રે વટહુકમને મેળવ્યો અને મુખર્જીએ શુક્રવારે જ તેની પર હસ્તાક્ષર કરી દીધા. ત્યારબાદ એ પ્રકારની અટકળો સમાપ્ત થઇ ગઇ કે ભાજપા, વામદળો અને કેટલાંક અન્ય દળોના વિરોધ બાદ સંભવત: રાષ્ટ્રપતિ અધ્યાદેશને મંજૂર કરવામાં ઉતાવળ નહી કરે.
ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ દુનિયાની એ પ્રકારની સૌથી મોટી યોજનાનો ભાગ બની રહેશે જેમાં સરકાર દરેક વર્ષે દેશની 67 ટકા વસ્તીને લગભગ 6.2 કરોડ ટન ચોખા, ઘઉં, અથવા મોટું અનાજની આપૂર્તિ પર લગભગ 1,25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
ગયા મહીને મંત્રીમંડળની બેઠકમાં આ વિષય પર જુદા-જુદા મત આવવાના પગલે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ બુધવારે ખાદ્ય સુરક્ષા બિલ વિધેયકને લાગુ કરવાના કારણે મંજૂરી આપી દેવાઇ.
અધ્યાદેશ સંસદના મોનસૂન સત્રથી થોડાક જ સપ્તાહ પહેલા લાવવામાં આવેલ રાજનૈતિક દળોની માંગ છે કે ખાદ્ય સુરક્ષા વિધેયકને બંને ગૃહોમાં ચર્ચા કરવા માટે પસાર કરવાનું હતું. વામદળોએ વટહુકમનો રસ્તો અપનાવવા પર સરકારને આડા હાથે લેતા જણાવ્યું કે યુપીએ-2એ સંસદનું અપમાન કર્યું છે. ભાજપાએ આને રાજનૈતિક ચાલ ગણાવી છે.