એવુ શું કર્યુ ઇઝરાયેલે કે પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલ પ્રદેશના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. વધુ વિગતો જાણો અહીં..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલ પ્રદેશના મંડીમાં હતા. અહીં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા આવેલા પીએમ મોદીએ સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. આ ઉલ્લેખ સાથે જ તેમણે ઇઝરાયેલનું પણ નામ લીધુ. પીએમ મોદીએ કહ્યુ કે આજે દરેક જણ સર્જીકલ સ્ટ્રાઇક વિશે વાત કરી રહ્યુ છે.

પ્રખ્યાત છે ઇઝરાયેલની આર્મી
પીએમ મોદીએ એક રેલી દરમિયાન કહ્યુ કે જે કામ ઇંડિયન આર્મીએ કર્યુ છે તેના માટે હજુ સુધી માત્ર ઇઝરાયેલની આર્મીને જ ઓળખવામાં આવે છે. પરંતુ હવે દુનિયા જાણે છે કે ઇંડિયન આર્મી પણ આ કરી શકે છે,
પીએમ મોદીએ એ વાત કરી જે ઘણા અંશે સાચી છે. ઇઝરાયેલે આતંકવાદની વિરુદ્ધમાં એ કર્યુ છે જે કોઇએ હજુ સુધી કોઇએ વિચાર્યુ પણ નહિ હોય.

ઇઝરાયેલે પણ સહ્યો છે આતંકવાદ
દુનિયાનો કદાચ જ કોઇ એવોદેશ હશે જેણે આતંકવાદની વિરુદ્ધમાં લડાઇનો આવો અનુભવ કર્યો હોય જેવો ઇઝરાયેલે કર્યો છે. ઇઝરાયેલ 50 ના દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યુ છે અને આજે આતંકવાદ સામેની લડાઇમાં તેણે ભારત જ નહિ અમેરિકા માટે પણ ઉદાહરણ રુપ કામ કર્યુ છે.
કોઇની પરવાહ કરી નથી ઇઝરાયેલે ઇઝરાયેલે ઘણા ખતરનાક આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. કાર બૉમ્બિંગ, આત્મઘાતી હુમલા, હાઇજેકિંગ અને કેટલાય આતંકવાદી સંગઠનો તરફથી આવા ઘણા આતંકવાદી હુમલા સહન કર્યા છે.
ઘણા સંગઠનોએ ફિલીસ્તીન સામે ઇઝરાયેલની નીતિઓનો વિરોધ કર્યો પરંતુ ઇઝરાયેલે ક્યારેય કોઇની પરવાહ કરી નથી. ફિલીસ્તીનના આતંકવાદી સંગઠન હમાસે પાકિસ્તાનમાં હાજર લશ્કર-એ-તોયબાના ઇશારે જ ઇઝરાયેલની જગ્યાએ અહીં ઇસ્લામિક ફિલીસ્તીન દેશની સ્થાપનાના ઇરાદે આતંકવાદ વધારવાનુ ચાલુ કર્યુ.

આતંકવાદી સંગઠનોમાં જોડાયા જાસૂસ
આતંકવાદી હુમલાના જવાબ આપવા માટે ઇઝરાયેલ સરકારે ઇંટેલીજંસ ભેગુ કરવાનુ શરુ કર્યુ અને સુરક્ષાતંત્રને સ્થાપિત કર્યુ. 13 ડિસેમ્બર 1949 ના દિવસે ઇઝરાયેલે ઇંટેલીજંસ એજંસી મોસાદની સ્થાપના કરી હતી. મોસાદે શંકાસ્પદ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી ઘણી ફાઇલો તૈયાર કરી.

આતંકવાદી સંગઠનની દરેક જાણકારી
તેણે પોતાના એજંટ્સને આતંકવાદી સંગઠનોમાં જોડી દીધા જેથી સંગઠનોને લગતી માહિતી મેળવી શકે. મોસાદે આતંકવાદી સંગઠનોના નેતાઓની હત્યાઓ અને આતંકવાદી સંગઠનો પર હુમલા જેવી રણનીતિઓને પણ અપનાવી. તેની ટીકાઓ છતા ઇઝરાયેલની સરકારે પીછેહટ કરી નહિ.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
