કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદીના કેસની તપાસ કરાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારે આઇપીસીની રાજદ્રોહ સાથે જોડાયેલી કલમ લગાવવાનો વિરોધ કર્યા બાદ તપાસનો આદેશ આપ્યો છે. જોકે સૂત્રોએ જણાવ્યું છે કે બંનેએ અસિમ ત્રિવેદી વિરૂદ્ધ હળવી કાર્યવાહી કરવા બાબતે સમર્થન કર્યું છે, કારણ કે કાર્ટૂન આક્રમક હતા. કાર્ટૂનમાં સંસદ અને રાષ્ટ્રીય પ્રતિકનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત રવિવારે અસિમ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે મુંબઇ હાઇકોર્ટે જામીન મંજૂર કરી દીધાં હતા.
અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારી કહ્યું છે કે એસઆઇટી કાનપુરના રહેવાસી કાર્ટૂનિસ્ટ પર લગાવવામાં આવેલા દેશદ્રોહના ગુનાની સમીક્ષા કરશે અને પોતાના અન્ય રિપોર્ટ મહારાષ્ટ્ર પોલીસને સોંપશે. ત્યારબાદ જરૂરિયાત લાગશે તો રાજ્ય સરકાર આરોપો દૂર કરવાનો આદેશ આપશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ટીમમાં બે ઇન્સપેક્ટર, બે સબ ઇન્સપેક્ટર, એક આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર અને છ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઇ હાઇકોર્ટ દ્રારા જામીન પર છોડી મુકવાના આદેશ બાદ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા અસિમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે અસિમે કહ્યું છે કે જ્યાં સુધી દેશદ્રોહનો આરોપ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરીશ.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
