કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદીના કેસની તપાસ કરાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારે આઇપીસીની રાજદ્રોહ સાથે જોડાયેલી કલમ લગાવવાનો વિરોધ કર્યા બાદ તપાસનો આદેશ આપ્યો છે. જોકે સૂત્રોએ જણાવ્યું છે કે બંનેએ અસિમ ત્રિવેદી વિરૂદ્ધ હળવી કાર્યવાહી કરવા બાબતે સમર્થન કર્યું છે, કારણ કે કાર્ટૂન આક્રમક હતા. કાર્ટૂનમાં સંસદ અને રાષ્ટ્રીય પ્રતિકનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત રવિવારે અસિમ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે મુંબઇ હાઇકોર્ટે જામીન મંજૂર કરી દીધાં હતા.
અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારી કહ્યું છે કે એસઆઇટી કાનપુરના રહેવાસી કાર્ટૂનિસ્ટ પર લગાવવામાં આવેલા દેશદ્રોહના ગુનાની સમીક્ષા કરશે અને પોતાના અન્ય રિપોર્ટ મહારાષ્ટ્ર પોલીસને સોંપશે. ત્યારબાદ જરૂરિયાત લાગશે તો રાજ્ય સરકાર આરોપો દૂર કરવાનો આદેશ આપશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ટીમમાં બે ઇન્સપેક્ટર, બે સબ ઇન્સપેક્ટર, એક આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર અને છ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઇ હાઇકોર્ટ દ્રારા જામીન પર છોડી મુકવાના આદેશ બાદ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા અસિમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે અસિમે કહ્યું છે કે જ્યાં સુધી દેશદ્રોહનો આરોપ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરીશ.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
