Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab : ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે 150 મોહલ્લા ક્લિનિક ખુલ્લા મુક્યા

પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર લોકોના આરોગ્ય માટે સતત નવા પગલા ભરી રહી છે. આ ક્રમમાં જ પંજાબ સરકારે નવા 150 મોહલ્લા ક્લિનિક લોકો માટે ખુલ્લા મુક્યા,

દેશની રાજધાની દિલ્હીની તર્જ પર પંજાબની આમ આદમી પાર્ટીની ભગમંત મન સરકારે રાજ્ય મોહલ્લા ક્લિનિકની શરૂઆત કરી હતી.

Bhagwant Maan and Arvind Kejriwal

પંજાબમાં મોહલ્લા ક્લિનિક્સના સફળ પ્રયોગ પછી પંજાબની AAP સરકારે શનિવારે વધુ 165 નવા મોહલ્લા ક્લિનિક્સની ભેટ આપી છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે જલંધર પહોંચ્યા અને મોહલ્લા ક્લિનિક લોકોને સમર્પિત કર્યા. શનિવારે પંજાબમાં જલંધરથી શરૂ કરીને નવા 165 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે.

અહીં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબમાં પહેલા લોકોને તેમના ઘરથી દૂર અન્ય વિસ્તારોમાં ડોક્ટરોના ક્લિનિક્સમાં સારવાર માટે જવું પડતું હતું, પરંતુ હવે અમારી સરકાર દ્વારા શરૂ કરાયેલા મોહલ્લા ક્લિનિક્સ કાર્યરત છે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબમાં અત્યાર સુધીમાં 829 ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે. સી.એમ. માને કહ્યું કે જેટલા વધુ ક્લિનિક્સ હશે, ડૉક્ટરોને દર્દીઓને તપાસવા માટે તેટલો સારો સમય મળશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં આ સ્વાસ્થ્ય ક્રાંતિ છે. માન સરકાર પંજાબના દરેક ખૂણે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X