For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવંત માન દિલ્હીના પ્રવાસે, આગામી ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ સાથે બેઠક યોજી!

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબી ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી ; આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબી ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંજાબથી દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા છે.

Bhagwant Maan

અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી આગામી સમયમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને એક્શનમાં જોવા મળી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.

એક તરફ પંજાબમાં સફળતા અને હવે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા મળતી દેખાઈ રહી છે ત્યારે હવે આ બેઠકમાં રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે પંજાબ અને દિલ્હીની સફળતાનો ગુજરાત સહિતના રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે.

English summary
Punjab Chief Minister Bhagwant Mann on a trip to Delhi!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X