ત્રીજી વખત પિતા બનશે પંજાબના સીએમ ભગવંત માન, ગણતંત્ર દિવસ જાહેરાત કરી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. તેણે આ માહિતી લોકો સાથે શેર કરી છે.
પ્રજાસત્તાક દિવસે જનતાને સંબોધિત કરતા ભગવંત માને કહ્યું કે, હું વ્યક્તિગત જાહેરાત કરવા માંગુ છું. મારા ઘરે પણ માર્ચ મહિનામાં ખુશીઓ આવવાની છે. મારી પત્ની ડૉ. ગુરપ્રીત કૌર સાત મહિનાની ગર્ભવતી છે.

તેમણે કહ્યું કે, તમને જાણીને નવાઈ લાગશે કે હજુ પણ આપણે નથી જાણતા કે તે છોકરો છે કે છોકરી. અને તે પણ કરશો નહીં. જે આવે તે સ્વસ્થ આવવું જોઈએ. બાળક સ્વસ્થ આવવું જોઈએ.
ભગવંત માને કહ્યું કે, આરોગ્ય એ કુદરતની સૌથી મોટી ભેટ છે. બસ આ જ પ્રાર્થના કરો. તમે પણ એવી જ પ્રાર્થના કરો. છોકરો- છોકરીના ચક્કરમાં મ પડો.
લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે, જે લોકો મારી વાત સાંભળી રહ્યા છે તેઓને હું છોકરા-છોકરી વચ્ચે ભેદ ન રાખવાની અપીલ કરું છું. કોણ જાણે નારાયણ કયા વેશમાં મળી આવશે? તેથી મહિલા શક્તિ પ્રત્યે પંજાબ સરકારનો સંકલ્પ ઘણો લાંબો સમય ચાલશે.
જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસ પર પંજાબના સીએમ ભગવંત માન લુધિયાણામાં પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી મેદાનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ગણતંત્ર દિવસ પર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
આ દરમિયાન મુખ્યમંત્રીએ પરેડની સલામી સ્વીકારી અને માને કહ્યું કે, ગણતંત્ર દિવસ પંજાબના કારણે આવ્યો. લડાઈ લડ્યા અને શહીદી આપી, પછી ગણતંત્ર દિવસ આવ્યો. તેથી જ આપણે ખાસ કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ.
તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ પંજાબ માટે ખાસ છે. કારણ કે આપણે તેના પર આફણે અધિકારનો દાવો કરીએ છીએ. દુઃખની વાત એ છે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની પરેડમાંથી પંજાબની ઝાંખીઓ હટાવી દેવામાં આવી છે, આ સુંદર ઝાંખીઓ આજે તમારી સામે છે.












Click it and Unblock the Notifications
