પંજાબમાં ભગવંત માન સરકારની મોટી એક્શન, 13 અધિકારીઓની કરી બદલી
પંજાબની ભગવંત માન સરકારે મોટી કાર્યવાહીના ભાગ રુપે બુધવારે 13 અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે.
પંજાબની ભગવંત માન સરકારમાં બદલીનો દોર યથાવત છે. માન સરકારે બુધવારે 13 આઈપીએસ અને રાજ્ય સેવાના પોલીસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. રાજ્યના ફરીદકોટ, કપૂરથલા, ભટિંડા, મોગા, ખન્ના, ગુરદાસપુર, બાટલા, ફઝિલ્કા અને માલેરકોટલાના એસએસપી બદલવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે સંબંધિત અધિકારી પોતાની નવી પોસ્ટિંગ પર ત્વરિત રિપોર્ટ કરે.

રાજ્યમાં બદલીનો તબક્કો સતત ચાલુ છે. આ શ્રેણીમાં પંજાબ સરકાર દ્વારા વધુ 13 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 11 આઈપીએસ અને 2 પીપીએસ અધિકારીઓ સામેલ છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તેમાં ફરીદકોટના એસએસપી રાજપાલ સિંહને કપૂરથલાના એસએસપી બનાવવામાં આવ્યા છે. આ પહેલા આ ચાર્જ નવનીત સિંહ બેંસ પાસે હતો. વળી, નવનીત સિંહ બેંસને હરજીત સિંહની જગ્યાએ લુધિયાણા ગ્રામીણના એસએસપી બનાવવામાં આવ્યા છે. ભટિંડાના એસએસપી જે એલનશેજિયનને મોગાના એસએસપી બનાવવામાં આવ્યા છે. મોગાના હાલના એસએસપી ગુલનીત સિંહ ખુરાનાને ભટિંડાના એસએસપી બનાવવામાં આવ્યા છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમના નામની યાદી નીચે મુજબ છે.
Punjab Government transfers thirteen IPS and state-level officers in the state. pic.twitter.com/OI13Ck6LAv
— ANI (@ANI) February 15, 2023












Click it and Unblock the Notifications
