15 એપ્રિલે કેજરીવાલને મળશે પંજાબના સીએમ ભગવંત માન, તિહાડ જેલ પ્રશાસને જાહેર કર્યુ શિડ્યુલ
Punjab CM: પંજાબના સીએમ ભગવંત માન 15 એપ્રિલે તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળશે. તિહાર જેલ પ્રશાસને પંજાબના મુખ્યમંત્રીની મુલાકાતને લઈને નવું શિડ્યુલ જાહેર કર્યું છે.
અગાઉ 10 એપ્રિલે તિહાર જેલ પ્રશાસને સુરક્ષા સંબંધિત કારણોને ટાંકીને મળવાનો ઇનકાર કર્યો હતો. શુક્રવારે તિહાર જેલ પ્રશાસન અને પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે 15 એપ્રિલે યોજાનારી બેઠકની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓને લઈને ઘણા વિશેષ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જેલમાં કયા સ્થળે કેજરીવાલ સાથે મુલાકાત કરાવાશે. બંનેની બેઠક સમયે ત્યાં સુરક્ષા વ્યવસ્થાના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા. જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'મુલાકાત જાંગલા'ની અંદર ચુસ્ત સુરક્ષા હેઠળ બપોરે બેઠક યોજાશે કારણ કે માનને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
તિહાર જેલ પ્રશાસન સાથેની બેઠકમાં પંજાબના અધિક પોલીસ મહાનિર્દેશક એકે પાંડે અને એક સહાયક પોલીસ કમિશનર અધિકારી હાજર હતા. તિહાર જેલના મહાનિર્દેશક સંજય બેનીવાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તિહારમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) રાજીવ પરિહારની ઓફિસમાં શુક્રવારે સવારે 11 વાગ્યે આ બેઠક શરૂ થઈ હતી અને લગભગ 3 વાગ્યે પૂરી થઈ હતી.












Click it and Unblock the Notifications
