પંજાબઃ લુધિયાણાની હોઝીયરી ફેક્ટરીમાં આગ લાગતા ચારના મોત

પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે.

પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે. મંગળવારે સવારે એક હોઝીયરી કારખાનામાં આગ લાગી ગઈ. આગની ઘટના સવારે 4 વાગે બની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી માલુમ પડી શક્યુ નથી.

punjab fire

લુધિયાણામાં એક હોઝીયરી કારખાનામાં બુધવારે સવારે આગ લાગી ગઈ. આગ સવારે લગભગ 4 વાગે લાગી. જેની ચપેટમાં આવવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આ પહેલા પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ જોવા મળી રહી છે. સોમવારે મોડી રાતે મધ્યપ્રદેશના બુઢનપુર સ્થિત પાકીજા મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 7 લોકો ઘાયલ થયા હતા. આગની જવાળાઓ એટલી ભયાનક હતી કે તેના પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની સાત ગાડીઓ બોલાવવી પડી હતી.

ગયા બુધવારે કોલકત્તા મેડીકલ કોલેજમાં આગ લાગવાથી અફડા તફડી મચી ગઈ હતી. સવારે 8 વાગે જ્યારે બિલ્ડિંગમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો ત્યારે ફાયરબ્રિગેડને ફોન કરી બોલાવવામાં આવ્યા. સેન્ટ્રલ કોલકત્તામાં સ્થિત આ કોલેજ અને હોસ્પિટલમાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓએ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X