પંજાબઃ લુધિયાણાની હોઝીયરી ફેક્ટરીમાં આગ લાગતા ચારના મોત
પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે.
પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે. મંગળવારે સવારે એક હોઝીયરી કારખાનામાં આગ લાગી ગઈ. આગની ઘટના સવારે 4 વાગે બની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી માલુમ પડી શક્યુ નથી.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનનો અકસ્માત, 5નાં મોત
લુધિયાણામાં એક હોઝીયરી કારખાનામાં બુધવારે સવારે આગ લાગી ગઈ. આગ સવારે લગભગ 4 વાગે લાગી. જેની ચપેટમાં આવવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આ પહેલા પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ જોવા મળી રહી છે. સોમવારે મોડી રાતે મધ્યપ્રદેશના બુઢનપુર સ્થિત પાકીજા મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 7 લોકો ઘાયલ થયા હતા. આગની જવાળાઓ એટલી ભયાનક હતી કે તેના પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની સાત ગાડીઓ બોલાવવી પડી હતી.
Punjab: 4 dead after fire broke out at a hosiery factory in Kalyan Nagar in Ludhiana at around 4 am today. Fire has been doused. pic.twitter.com/GmiwoyRyHU
— ANI (@ANI) 10 October 2018
ગયા બુધવારે કોલકત્તા મેડીકલ કોલેજમાં આગ લાગવાથી અફડા તફડી મચી ગઈ હતી. સવારે 8 વાગે જ્યારે બિલ્ડિંગમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો ત્યારે ફાયરબ્રિગેડને ફોન કરી બોલાવવામાં આવ્યા. સેન્ટ્રલ કોલકત્તામાં સ્થિત આ કોલેજ અને હોસ્પિટલમાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓએ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચોઃ ડૉક્ટરોનો કરિશ્મા! 4 વર્ષની માસૂમની ખોપડીનું કર્યુ ટ્રાન્સપ્લાન્ટ