પંજાબઃ મુખ્યમંત્રી રાહતકોષ યોજનામાંથી કરાઈ રહ્યો છે 1.5 લાખ સુધીનો કેન્સરનો નિઃશુલ્ક ઈલાજ
પંજાબના ફિરોઝપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા સિવિલ સર્જનની ઑફિસમાં એક જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પંજાબના ફિરોઝપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા સિવિલ સર્જનની ઑફિસમાં એક જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ડૉ. રાજીન્દ્ર પાલે તેમનો સંદેશો જાહેર કરીને જણાવ્યુ હતુ કે રોગના નિદાન, સારવાર અને વહેલાસર નિદાન અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દરમિયાન સિવિલ સર્જન ડૉ.રાજીન્દ્ર પાલે જણાવ્યુ હતુ કે ભારતમાં કેન્સરની સુવિધાઓ માટે રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ 1975માં શરૂ કરવામાં આવ્યો હતો. કેન્સર એ વિશ્વની સૌથી ભયંકર બિમારીઓમાંની એક છે. આમાં, અસાધારણ કોષો વિકાસ કરવાનું શરૂ કરે છે અને શરીરના અન્ય ભાગો પર પણ હુમલો કરે છે. આ સિવાય કેન્સરના જોખમના ચિન્હો, જેમાં અવાજમાં ભારેપણું, મોઢામાં સફેદ ડાઘ, કાનમાં સતત દુખાવો, ખાવા-પીવામાં તકલીફ, મોઢામાં લોહી આવવુ, નાકમાંથી સતત લોહી આવવુ, મોઢામાં રસોળી, ગળામાં ગાંઠ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં સ્ત્રીઓની છાતીમાં ગાંઠ અને માસિક સ્રાવ દરમિયાન અતિશય રક્ત પ્રવાહનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યુ કે જો કેન્સર જેવી જીવલેણ બીમારી પહેલા સ્ટેજ પર જ શોધી કાઢવામાં આવે તો તેને શરીરમાં ફેલાતી અટકાવી શકાય છે. તેમણે કહ્યુ કે કેન્સરની સારવાર કીમોથેરાપી, હોર્મોન થેરાપી, હાઈપરથર્મિયા, ફોટોડાયનેમિક થેરાપી, રેડિયેશન થેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. દરેક વ્યક્તિએ તેના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ જોઈએ અને સમયાંતરે તેના શરીરની તબીબી તપાસ કરાવતા રહેવુ જોઈએ. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી રાહત ફંડ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1.5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે.
આ પ્રસંગે મદદનીશ સિવિલ સર્જન ડૉ. સુષ્મા ઠક્કર, જિલ્લા રોગચાળાના નિષ્ણાત ડૉ. શમિન્દ્ર કૌર, ડૉ. સોનિયા, ડૉ. દીપ્તિ અરોરા, માસ મીડિયા ઑફિસર રંજીવ, અધિક્ષક પરમવીર મોંગા, સ્ટેનો વિકાસ કાલ્ડા, BCC સંયોજક રજનીક કૌર અને આશિષ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
