Punjab Gas Leak Update : CM માને વ્યક્ત કર્યો શોક, આપી શક્ય તમામ મદદની ખાતરી
Punjab Gas Leak Update : પંજાબના લુધિયાણામાં રવિવારના રોજ ગેસ લીક થવાની ઘટના આવી છે. જેમાં 11 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ સગીર વયના છે. આ સાથે 9 લોકો બેહોશીની હાલતમાં મળી આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો હતો.
હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો હાજર છે આ વચ્ચે પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણામાં ગેસ લીકની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળ પર હાજર છે. આ સાથે અસરકારક રીતે પીડિતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય બાબત છે કે, આ ઘટના લુધિયાણાના ગ્યારસપુર સ્થિત એક બિલ્ડિંગમાં બની હતી. જ્યાં એક દૂધ બૂથ છે. સવારે 7:15 કલાકે લોકો રાબેતા મુજબ દૂધ ખરીદવા આવ્યા હતા અને અચાનક બેહોશ થઈ ગયા હતા. આ વિસ્તારમાં ગેસ લીકથયો હોવાની માહિતી મળી હતી. જોકે, ગેસ લીકથવા પાછળનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.
આવા સમયે સમગ્ર ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિકધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
NDRF આવતાની સાથે જ લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર સીલ કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
