પંજાબ સરકારે માંગી છેલ્લા 3 મહિનામાં થયેલી પ્રોપર્ટીની નોંધણીની માહિતી, જાણો કારણ
છેલ્લા કેટલાક સમયમાં પંજાબ સરકારની આવકમાં સારો એવો વધારો થયો છે. આવા સમયે પંજાબ સરકારે તમામ મામલતદારો અને નાયબ મામતલદારોને હુકમ કર્યો છે કે, ગત ત્રણ મહિના દરમિયાન નોંધણીનો રેકોર્ડ રજૂ કરવામાં આવે.
ચંદીગઢ : પંજાબમાં જમીન-સંપતિની નોંધણી કરવા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબની માન સરકારે ગત ત્રણ મહિના દરમિયાન થયેલા મકાન, પ્લાન્ટ અને અન્ય સંપતિની નોંધણીનો રેકોર્ટ માંગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં પંજાબ સરકારની આવકમાં સારો એવો વધારો થયો છે. આવા સમયે પંજાબ સરકારે તમામ મામલતદારો અને નાયબ મામતલદારોને હુકમ કર્યો છે કે, ગત ત્રણ મહિના દરમિયાન નોંધણીનો રેકોર્ડ રજૂ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ગેરકાયદેસર કોલોનીઓ અંગે પંજાબ સરકારને ઘણી ફરિયાદો મળી હતી. જોકે પંજાબ સરકાર દ્વારા આ અંગે અનેક સૂચનાઓ જાહેર કરવામાં હતી, પરંતુ તેમ છતાં રાજ્યમાં ગેરકાયદેસર કોલોનીઓ બનતી રહી છે.
જેના કારણે મહેસુલ વિભાગ દ્વારા કડક પગલું ભરીને તમામ તહસીલદાર અને નાયબ તહસીલદારને છેલ્લા ત્રણ માસ દરમિયાન થયેલી રજિસ્ટ્રીના રેકોર્ડ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.