Punjab News: પંજાબમાં તીવ્ર ઠંડીના કારણે ભગવંત માન સરકારે કરી સ્કૂલોમાં રજાઓની ઘોષણા

Punjab News: પંજાબની ભગવંત માન સરકારે વધતી ઠંડી અને ધુમ્મસને કારણે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આદેશ અનુસાર, રાજ્યની તમામ સરકારી, ખાનગી અનુદાનિત અને માન્ય શાળાઓમાં 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રજા રહેશે.

આ અંગેનો આદેશ શિક્ષણ સચિવ કમલ કિશોર યાદવે જાહેર કર્યો છે. નોંધનીય છે કે તે જ મહિનામાં પંજાબ શિક્ષણ વિભાગે પણ શાળાના સમયમાં ફેરફાર કર્યો હતો.

bhagwant mann

પંજાબમાં લગભગ 19 હજાર સરકારી શાળાઓ છે. આ સિવાય લગભગ 6 હજાર ખાનગી શાળાઓ છે, જેમાં લગભગ 40 લાખ બાળકો અભ્યાસ કરે છે. અગાઉ 3 ડિસેમ્બરે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ઠંડીના કારણે શાળાનો સમય બદલીને સવારે 9 થી બપોરે 3.30 સુધી કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ દ્વારા શાળાના સમય બદલવાની સૂચના આપવામાં આવી હતી.

નોંધનીય છે કે પંજાબમાં કોલ્ડવેવના કારણે ઠંડી સતત વધી રહી છે. ગુરુવારે, લુધિયાણામાં લઘુત્તમ તાપમાન શિમલાની તુલનામાં નીચે ગયું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં સ્મોગને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X