For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારે સ્કૉલરશિપ સ્કીમો અને પુરસ્કારો માટે હવે લીધો આ મોટો નિર્ણય

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સના નિર્દેશો પર પોર્ટલ દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અને પુરસ્કારો સંબંધિત અરજીઓ માટે એક વિશેષ તાલીમ સત્રનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સના નિર્દેશો પર પોર્ટલ દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અને પુરસ્કારો સંબંધિત અરજીઓ સબમિટ કરવા વિશે શાળાના વડાઓને જાણ કરવા માટે એક વિશેષ તાલીમ સત્રનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તાલીમ એજ્યુસેટ સિસ્ટમ દ્વારા આપવામાં આવી હતી જેથી શિષ્યવૃત્તિ અને પુરસ્કારો માટેની તમામ કામગીરી સરળતાથી થઈ શકે.

punjab

આ સંદર્ભમાં માહિતી આપતાં એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યુ કે પંજાબ સરકાર શિક્ષણ વિભાગમાં સુવિધાઓને વધુ સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પ્રયાસો કરી રહી છે. તાલીમ દરમિયાન એવુ પણ ધ્યાન આપવામાં આવ્યુ હતુ કે સંબંધિત શાળાના વડાઓ અને શિક્ષકોએ સમગ્ર રાજ્યમાં વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી સ્કૉલરશિપ પહોંચે તે માટે આયોજન કરવુ જોઈએ. વિદ્યાર્થીઓની હાજરી, વિદ્યાર્થીઓની યોગ્યતા અને પરિણામોની યોગ્યતાના આધારે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ ઉપલબ્ધ છે.

પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે શાળાઓના વડાઓ અને આચાર્યોને શિક્ષણ વિભાગની વેબસાઇટ પર શિષ્યવૃત્તિ લિંક પર ક્લિક કર્યા પછી સૂચનાઓનું પાલન કરવા અને પછી જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને તેમના વાલીઓને લગતી યોજનાઓથી પણ માહિતગાર કરવા જોઈએ. તાલીમ સત્ર દરમિયાન એવુ પણ કહેવામાં આવ્યુ હતુ કે શિષ્યવૃત્તિ યોજનાઓનો તમામ રેકોર્ડ જાળવવામાં આવે જેથી ભવિષ્યમાં જરૂર પડે તો તેને સરળતાથી શોધી શકાય.

English summary
Punjab government big decision for scholarship schemes and awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X