ભગતસિંહને ન આપી શકાય શહીદનો દરજ્જોઃ પંજાબ સરકાર
પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો નહિ આપવામાં આવે. પંજાબ સરકારે શહીદોની અધિકૃત યાદીની માંગ પર જવાબ આપતા આ કહ્યુ.
પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો નહિ આપવામાં આવે. પંજાબ સરકારે શહીદોની અધિકૃત યાદીની માંગ પર જવાબ આપતા આ કહ્યુ. પંજાબ સરકારે સંવિધાનના આર્ટીકલ 18 નો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે એબોલિશન ઓફ ટાઈટલ્સ નિયમ હેઠળ ભગતસિંહ ઔપચારિક રીતે શહીદ ન કહેવાઈ શકે. પંજાબ સરકારે જણાવ્યુ કે રાજ્ય સરકારની પાસે આનો કોઈ અધિકાર નથી.

વકીલે લખી હતી ચિઠ્ઠી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલ હરિચંદ અરોડાએ પંજાબ સરકારને ચિઠ્ઠી લખીને પૂછ્યુ હતુ કે શું પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાથે જ તેમણે સરકાર પાસે શહીદોની અધિકૃત યાદી પણ તેમને આપવાની માંગ કરી હતી. આના જવાબમાં સરકારે જણાવ્યુ કે અધિકૃત રીતે તેમની પાસે આમ કરવાનો અધિકાર જ નથી.

દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો
પંજાબ સરકારે આ ચિઠ્ઠીના જવાબમાં દિલ્હી હાઈકોર્ટના એક ચૂકાદાનો ઉલ્લેખ કર્યો છે. વિરેન્દ્ર સાંગવાન વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સના કેસમાં ડિસેમ્બર 2017 માં અદાલતે કહ્યુ હતુ કે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવાની યાચિકાકર્તાની અપીલનો કોઈ સંવિધાનિક અધિકાર નથી અને એટલા માટે આ યાચિકા ફગાવી દેવામાં આવી છે.

સમય સમય પર ઉઠતી રહી છે માંગ
પંજાબ અને દેશભરમાં ભગત સિંહના કેસ અને તેમને શહીદનો દરજ્જો આપવાની માંગ જૂની છે. લાહોરમાં પણ તેમના કેસને ખોલવાની માંગ કરાતી રહી છે. વળી, ભગત સિંહ અને તેમના સાથીઓને શહીદનો દરજ્જો અપાવવા અંગે જબર વિરોધી સંઘર્ષ સમિતિના કન્વીનર જસવંત સિંહ ભારટા આઠ દિવસોથી પંજાબમાં ભૂખ હડતાળ કરી રહ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
