પંજાબમાં શિક્ષણ વિભાગ પોતાના ખર્ચે સ્કૂલના વિદ્યાર્થીઓને કરાવશે અહીંની યાત્રા
પંજાબના શાળા શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વ ખર્ચે આ સ્થળની મુલાકાત કરાવવાનુ નક્કી કર્યુ છે.
Punjab News: પંજાબના શાળા શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિશે વિશેષ માહિતી આપવા માટે આ સંસ્થાઓની મુલાકાત કરાવવાનુ નક્કી કર્યુ છે. આ સંદર્ભે વિભાગ દ્વારા રાજ્યભરની 3661 શાળાઓના 73220 વિદ્યાર્થીઓને રૂ. 1.46 કરોડની રકમ પણ જાહેર કરવામાં આવી છે.

રાજ્ય શિક્ષા ખોજ ઔર શીખલાઈ પરિષદ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે પંજાબની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવા માટે કુલ 75,000 વિદ્યાર્થીઓ માટે હેડ દ્વારા વિદ્યાર્થી દીઠ 200 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી દીઠ 200 રૂપિયાની આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના નાસ્તા, પરિવહન અને અન્ય ખર્ચ માટે કરવામાં આવશે. આ પ્રવાસમાં દરેક શાળાના ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ(વર્ગ દીઠ 5 વિદ્યાર્થીઓ) પંજાબની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેશે.
જિલ્લા શિક્ષણાધિકારી(માધ્યમિક શિક્ષણ) હાલની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમ કે યુનિવર્સિટી, સાયન્સ સિટી, આઈઆઈટી, ઈન્સ્ટિટ્યુશન ઑફ હાયર ઈમ્પોર્ટન્સ વગેરેની પસંદગી કરશે. લુધિયાણા જિલ્લાની 350 શાળાઓના 7000 વિદ્યાર્થીઓ માટે વિભાગ દ્વારા કુલ 14 લાખ રૂપિયાની રકમ બહાર પાડવામાં આવી છે.












Click it and Unblock the Notifications
