પંજાબઃ માન સરકારનો નિર્ણય, ડ્રગ લેબમાં કાયમી કર્મચારીઓની ભરતી, PTU અને રમતગમત વિભાગમાં થશે નવી ભરતી
પંજાબના લુધિયાણા જિલ્લામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીએમ ભગવંત માને કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પંજાબમાં ડ્રગ વિરોધી અભિયાનને પાયાના સ્તરે સફળ બનાવવા માટે ડ્રગ લેબોરેટરીઓમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
આ સાથે પંજાબ ટેકનિકલ યુનિવર્સિટી (PTU) અને રમતગમત વિભાગમાં પણ નવી ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1 મેથી સરકાર મજૂરોને ભેટ આપવા જઈ રહી છે.

હવે જો કોઈ ખેડૂતનો પાક નિષ્ફળ જશે તો સરકાર ખેડૂતની સાથે સાથે તે ખેતરમાં કામ કરતા મજૂરોને 10 ટકા વળતર આપશે. વધુમાં વધુ મજૂરોનું રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મજૂરોને પોતાની નોંધણી કરાવી સરકારી યોજનાઓનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે.
સીએમએ કહ્યું કે પંજાબના રસ્તાઓની હાલત ખરાબ છે. દરેક રોડ પર ટોલ પ્લાઝા બની ગયા છે, પરંતુ રસ્તાઓ તૂટી ગયા છે. સૌથી પહેલા ટોલ પ્લાઝા નાબૂદ કરવામાં આવશે. આ પછી રસ્તાઓ બનાવવામાં આવશે. AAP સરકાર લોકોને રાહત આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
વિજિલન્સ અપ્રમાણસર મિલકતો બનાવનાર નેતાઓની પણ તપાસ કરી રહી છે. કાયદા અનુસાર, મિલકતો સીલ કર્યા પછી, નાણાંનો ઉપયોગ જાહેર હિતમાં કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
