પંજાબ સરકાર મજુરો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં, ગરીબો માટે બેરોજગારી ભથ્થાની જાહેરાત કરશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લઈને સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે ત્યારે હવે ભગવંત માન સરકાર મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લઈને સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે ત્યારે હવે ભગવંત માન સરકાર મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર જલ્દી ગરીબ મજુરો માટે જાહેરાત કરી શકે છે. સરકાર સરકાર ટૂંક સમયમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ નોંધાયેલા મજૂરો માટે બેરોજગારી ભથ્થાના નિયમો અંગે સૂચના જારી કરી શકે છે. આ અંતર્ગત ગરીબ મજૂરોને બેરોજગારી ભથ્થું મળશે.
આ અંગે માહિતી આપતા સંયુક્ત નિયામક ગ્રામીણ વિકાસ સંજીવ ગર્ગે કહ્યું કે, રાજ્યના નાણાકીય વિભાગે બેરોજગારી ભથ્થાના નિયમોને સૂચિત કરવા માટે બજેટની રકમને મંજૂરી આપી છે. અપેક્ષા છે કે નિયમો એક કે બે અઠવાડિયામાં સૂચિત કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટા વાયદાઓ કરીને સરકાર બનાવી હતી. હવે સરકાર તેને પુરા કરવાના પ્રયાસ કરી રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
