પંજાબ સરકાર મજુરો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં, ગરીબો માટે બેરોજગારી ભથ્થાની જાહેરાત કરશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લઈને સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે ત્યારે હવે ભગવંત માન સરકાર મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લઈને સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે ત્યારે હવે ભગવંત માન સરકાર મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.
મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર જલ્દી ગરીબ મજુરો માટે જાહેરાત કરી શકે છે. સરકાર સરકાર ટૂંક સમયમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ નોંધાયેલા મજૂરો માટે બેરોજગારી ભથ્થાના નિયમો અંગે સૂચના જારી કરી શકે છે. આ અંતર્ગત ગરીબ મજૂરોને બેરોજગારી ભથ્થું મળશે.
આ અંગે માહિતી આપતા સંયુક્ત નિયામક ગ્રામીણ વિકાસ સંજીવ ગર્ગે કહ્યું કે, રાજ્યના નાણાકીય વિભાગે બેરોજગારી ભથ્થાના નિયમોને સૂચિત કરવા માટે બજેટની રકમને મંજૂરી આપી છે. અપેક્ષા છે કે નિયમો એક કે બે અઠવાડિયામાં સૂચિત કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટા વાયદાઓ કરીને સરકાર બનાવી હતી. હવે સરકાર તેને પુરા કરવાના પ્રયાસ કરી રહી છે.