પંજાબ સરકાર અગ્નવીર અમૃતપાલ સિંહને એક કરોડનું વળતર આપશે
પંજાબની ભગવંત માન સરકારે જમ્મુ-કાશ્મીરમાં જીવ ગુમાવનાર અગ્નિવીર અમૃતપાલ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ભગવંત માન સરકાર વતી કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની નીતિ મુજબ અમૃતપાલ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે દેશના શહીદો પ્રત્યે કેન્દ્ર સરકાર કોઈપણ નીતિ અપનાવી શકે છે, પરંતુ અમારી સરકાર અમારા પુત્રોના સન્માન માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે 11 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરમાં અમૃતપાલ સિંહનું નિધન થયું હતું.
સેના તરફથી કહેવામાં આવ્યું કે અમૃતપાલ સિંહે 11 ઓક્ટોબરે ખુદને ગોળી મારી દીધી હતી, જેનાથી તેમનું મૃત્યુ થયું. જેના કારણે હાલની રણનીતિના કારણે તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું નહોતું અને તેથી તેમની સૈન્ય અંતિમવિધિ કરવામાં આવી ન હતી.
સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે અગ્નિવીર અમૃતપાલ સિંહે રાજૌરી સેક્ટરમાં સેન્ટ્રી ડ્યુટી દરમિયાન પોતાની જાતને ગોળી મારી દીધી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. આ મામલાની ઝીણવટભરી તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરી ચાલી રહી છે.
તે જ સમયે, પંજાબના મુખ્યમંત્રીએ આ મામલે કેન્દ્ર સરકારના વલણને લઈને સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સેનાના શહીદોને લઈને કેન્દ્ર સરકારની નીતિ ગમે તે હોય, અમારી નીતિ એ જ રહેશે. રાજ્યની નીતિ મુજબ અમે સૈનિકના પરિવારને 1 કરોડ રૂપિયાની રકમ આપીશું. અમૃતપાલ સિંહ દેશના શહીદ છે.












Click it and Unblock the Notifications
