સરકારી કોલેજોમાં સ્ટાફની કમી પુરી કરશે પંજાબ સરકાર, 645 સહાયક પ્રોફેસરોની કરાશે ભરતી
મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ કેબિનેટની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સહાયક પ્રોફેસરોની 645 જગ્યાઓ ભરવા મ
મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ કેબિનેટની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સહાયક પ્રોફેસરોની 645 જગ્યાઓ ભરવા માટે સંમતિ આપી છે. આજે પંજાબ સિવિલ સચિવાલય-1 ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીઓના જૂથની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 16 સરકારી કોલેજોમાં ટીચિંગ સ્ટાફની અછતને દૂર કરવા માટે કેબિનેટે પંજાબ પબ્લિક સર્વિસ કમિશન (PPSC) દ્વારા સહાયક પ્રોફેસરોની 645 જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે. આ પોસ્ટ યુ. હા. સી. રેગ્યુલેશન 2018 અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ કોલેજો અને યુનિવર્સિટીના પ્રોફેસરો માટે UGCના નોટિફિકેશન મુજબ પગારધોરણ આપવામાં આવશે.
આ પગલું નવી ખોલવામાં આવેલી કોલેજોને સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવામાં મદદ કરશે. આ ઉપરાંત પહેલેથી જ ચાલી રહેલી કોલેજોમાં ટીચિંગ સ્ટાફની અછત દૂર થશે અને આ કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરી શકાશે. આ પગલાથી આ કોલેજોમાં શિક્ષણનું ધોરણ સુધરશે અને કોલેજોની કામગીરી સુવ્યવસ્થિત થશે.












Click it and Unblock the Notifications
