ભગવંત માન સરકારને મોટો ઝટકો, પંજાબ હાઈકોર્ટે 424 VIPને ફરી સુરક્ષા આપવા આપ્યા આદેશ
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ હાઈકોર્ટે વીવીઆઈપીને હટાવવાના પંજાબ સરકારના નિર્ણયને પલટી નાખ્યો છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજે કહ્યું કે 420 થી વધુ VIPs માટે સુરક્ષા કવચ પ
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ હાઈકોર્ટે વીવીઆઈપીને હટાવવાના પંજાબ સરકારના નિર્ણયને પલટી નાખ્યો છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજે કહ્યું કે 420 થી વધુ VIPs માટે સુરક્ષા કવચ પુનઃસ્થાપિત કરવામાં આવે. જણાવી દઈએ કે, પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પંજાબમાં વીવીઆઈપીની સુરક્ષા પાછી ખેંચવા અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે છેલ્લી સુનાવણીમાં સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

એનડીટીવીના સમાચાર મુજબ વીવીઆઈપી સુરક્ષા પાછી ખેંચવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજે આદેશ આપ્યો છે કે 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, તેઓને 7 જૂનથી પુનઃસ્થાપિત કરવામાં આવે. આ અરજી પૂર્વ મંત્રી ઓપી સોની દ્વારા દાખલ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે પંજાબની ભગવંત માન સરકાર દ્વારા તાજેતરની સુરક્ષા સમીક્ષા બાદ 424 લોકોની સુરક્ષા ઓછી કરવામાં આવી હતી અથવા તો પાછી ખેંચી લેવામાં આવી હતી. ગાયક સિદ્ધુ મુસેવાલા તે લોકોમાંના એક હતા જેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવ્યાના બીજા જ દિવસે હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા હટાવવાની માહિતી પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બાદ હવે પંજાબ સરકારની આકરી ટીકા થઈ રહી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
