Punjab News : CM ભગવંત માને કર્યો ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાનો ઇન્કાર, જણાવ્યું આ કારણ
Punjab News : દિલ્હી સરકારની સામે કેન્દ્ર સરકારના વટહુકમ અંગે આમ આદમી પાર્ટી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ અંગે સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
આ વચ્ચે ગુરુવારના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાનો ઇન્કાર કર્યો છે.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને એક પત્ર લખીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી Z પ્લસ સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને દિલ્હી અને પંજાબમાં ઝેડ પ્લસ સુરક્ષાની જરૂર નથી. આ બંને સ્થળોએ અમને પંજાબ પોલીસ તરફથી વિશેષ સુરક્ષા છે. પત્ર લખીને તેમણે વિશેષ રક્ષણ લેવાનો ઇન્કાર કર્યો હતો.
અત્રે નોંધનીય બાબત છે કે, 25 મેના રોજ ભગવંત માનને Z પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મુખ્યમંત્રી ભગવંત માનની ઝેડ પ્લસ સુરક્ષા લાગુ કરી હતી.
કેન્દ્રએ સીઆરપીએફને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી ભગવંત માનને સમગ્ર દેશમાં Z પ્લસ સુરક્ષા કવચ પ્રદાન કરવા વિનંતી કરી હતી.
પંજાબ પોલીસની સુરક્ષા ઉપરાંત મુખ્યમંત્રીના ઘર અને પરિવારના નજીકના સભ્યોને પણ સુરક્ષા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ ખાલિસ્તાની ગતિવિધિઓને કારણે મુખ્યમંત્રીને ઉભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટનું વિશ્લેષણ કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ ભગવંત માન માટે ઝેડ પ્લસ સુરક્ષાની ભલામણ કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રીને કથિત રીતે ખાલિસ્તાન તરફી તત્વો તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. પટિયાલા સ્થિત વકીલે દાવો કર્યો હતો કે, ભગવંત માનની પુત્રી સીરત કૌર માન, જે યુએસમાં રહે છે, તેને ખાલિસ્તાન સમર્થકો તરફથી કથિત રીતે ધમકીભર્યા ફોન આવ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
