Punjab News : CM માને અધિકારીઓ સાથે યોજી નવી છાત્રાલયના નિર્માણ અંગે ચર્ચા
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિવિલ સચિવાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું હતું.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના નવીનીકરણ અને છોકરાઓ માટે નવી હોસ્ટેલના નિર્માણ અંગે ચર્ચા કરી હતી. અમે ઈચ્છીએ છીએ કે અમારા બાળકોને અભ્યાસ માટે સારી સુવિધા મળે... સાથે જ પંજાબ સરકાર અમારા વારસા PU માટે તમામ પ્રકારની મદદ માટે તૈયાર છે".












Click it and Unblock the Notifications
