Punjab News : CM માને અધિકારીઓ સાથે ગેરકાયદેસર વસાહતો મુદ્દે ચર્ચા કરશે
Punjab News : પંજાબની ગેરકાયદેસર વસાહતોના મુદ્દે બેઠક યોજશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
આ બેઠકમાં મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પા પણ સામેલ થશે. પંજાબના મુખ્યંમંત્રી ભગવંત માન મંગળવારના રોજ ગેરકાયદેસર કોલોનીના મામલે અધિકારીઓ સાથે બેઠક કરશે.

આ બેઠક વિભાગીય કક્ષાએ યોજાશે. આ દરમિયાન મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પા પણ હાજર રહેશે. મુખ્યમંત્રી ભગવંત માન ગેરકાયદેસર કોલોનીને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, પટિયાલા, જલંધર અને લુધિયાણા સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં ગેરકાયદેસર કોલોનીઓ સામે આવી છે.
બિલ્ડરોએ પણ નકશા પાસ કર્યા વગર પ્લોટ વેચી દીધા છે. આવા પ્લોટ અને મકાનોને લઈને પણ વિવાદો ઉભા થયા છે. જનતા પંજાબ સરકાર પાસે કોલોનીઓને નિયમિત કરવાની માંગ કરી રહી છે.
પંજાબ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈનું ઘર તોડવામાં આવશે નહીં. જેના પરિણામે પંજાબ સરકાર દ્વારા કોઈપણ ગેરકાયદેસર કોલોનીને નિયમિત કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
