Punjab News: ઘર ઘર લોટ પહોંચાડશે માન સરકાર, 26 સપ્ટેમ્બરથી શરૂ થશે યોજના
Punjab News: પંજાબ સરકારની ઘર-ઘર આટા પહોંચાડવાની યોજના અંગે મોટી અપડેટ સામે આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ભગવંત માન સરકારે આ યોજનાને લાગુ કરવા માટે પંજાબ રાજ્યમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.
આ ઉપરાંત માન સરકારે આ યોજનાને લાગુ કરવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે, જે 26 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. દરેક ઘરે લોટ પહોંચાડવા માટે, પંજાબ સરકારે સમગ્ર રાજ્યને ચાર ઝોનમાં વહેંચી દીધું છે.

આ યોજના હેઠળ દર મહિને લોકોના ઘરે લોટ પહોંચાડવામાં આવશે. જો કે, આ યોજના હેઠળ પંજાબ સરકારે ટેન્ડરમાં ઘણી શરતો પણ સામેલ કરી છે. પરંતુ, માત્ર ભટિંડામાં રહેતા લોકોને જ આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
તેનું મુખ્ય કારણ એ છે કે, ભટિંડામાં કોઈ ડેપો નથી, જેના કારણે ત્યાંના લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. જેથી હવે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે, અને આ કેસની સુનાવણી ચાલી રહી છે.
ઘર-ઘર લોટ પહોંચાડવાની યોજના હેઠળ, પંજાબના દરેક જિલ્લામાં માર્કફેડ દ્વારા નવા ડેપો ફાળવવામાં આવનાર છે. આ સાથે ગામડાઓમાં ઘઉંનો સંગ્રહ અને પીસ્યા બાદ માર્કફેડ દ્વારા દરેક ઘરે લોટ પહોંચાડવા માટે વિવિધ સ્થળોએ પંચાયતો જોવા મળી રહી છે.
આ યોજનાનો લાભ લેતા પરિવારના તમામ મુખ્ય સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે. જેમાં લોટ ડિલિવરી કરનારા એજન્ટનું નામ અને મોબાઈલ નંબર પણ હશે.
ખાસ વાત એ છે કે, જો કોઈ પરિવારના વડા પાસે ફોન ન હોય અથવા SMS ન આવે તો પરિવારના અન્ય સભ્યોને SMS કરીને જાણ કરવામાં આવશે.
પંજાબ સરકારે આ યોજનાનો લાભ લેતા લોકો માટે ચૂકવણીની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. જો કોઈ વ્યક્તિ લોટની કિંમત રોકડમાં ચૂકવી ન શકે તો ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
