પંજાબઃ રાજ્યસભા સાંસદ વિક્રમજીત સાહનીએ વ્યાજદરોમાં વધારા પર વ્યક્ત કરી ચિંતા

વાણિજ્ય પરની સંસદીય સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ સાહનીએ વ્યાજ વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી.

પંજાબઃ રાજ્યસભાના સાંસદ અને સંસદીય નાણા સમિતિના સભ્ય વિક્રમજીત સિંહ સાહનીએ જણાવ્યુ છે કે આરબીઆઈની મોનિટરી પૉલિસી કમિટીએ 8 ફેબ્રુઆરી 2023ના રોજ પૉલિસી વ્યાજ દર, રેપોમાં નવ મહિનામાં છઠ્ઠા વધારા માટે મતદાન કર્યુ હતુ. જેની સાથે આરબીઆઈએ બેંકો માટે રેપો 0.25 ટકા વધારીને 6.5 ટકા કર્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ વધારાના પરિણામે, બેંકના વ્યાજ દરો 7% થી વધીને 9% થઈ ગયા છે.

Vikramjit Sahni

વિક્રમજીત સિંહ સાહની કે જેઓ વાણિજ્ય પરની સંસદીય સલાહકાર સમિતિના સભ્ય પણ છે તેમણે જણાવ્યુ હતુ કે આ વ્યાજ દરોમાં વધુ વધારો લાંબા ગાળાના ઋણધારકો, ખાસ કરીને ઘર ખરીદનારાઓ અને એમએસએમઈ ક્ષેત્રને સીધી અસર કરશે. તેમણે કહ્યુ હતુ કે હાલમાં ફુગાવો ઉત્પાદન અને રોકાણના પુરવઠામાં અવરોધને કારણે છે અને ઊંચી માંગને કારણે નથી.

રેપો રેટમાં અગાઉના વધારા વિશે બોલતા સાહનીએ જણાવ્યુ હતુ કે આરબીઆઈએ ભૂતકાળમાં પણ આ વધારો 5 વખત કર્યો છે અને આ રીતે ઊંચા વ્યાજ દરો દ્વારા નાણાકીય નીતિને કડક બનાવે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ફુગાવાને નિયંત્રિત કરવા માટે થાય છે પરંતુ આ કદાચ અપેક્ષિત પરિણામ આપી શકશે નહીં કારણ કે વર્તમાન ફુગાવો વધુ પડતી માંગને કારણે નથી પરંતુ મુખ્યત્વે પુરવઠાની મર્યાદાઓને કારણે છે.

સાહનીએ જણાવ્યુ હતુ કે રૂપિયો 82 રૂપિયા પ્રતિ ડૉલરના મૂલ્યાંકન સાથે સર્વકાલીન નીચા સ્તરે છે, જે પહેલાથી જ અંતિમ વપરાશકારોની આર્થિક સમસ્યાઓમાં વધારો કરી રહ્યો છે, ખાસ કરીને તેલ અને ખાતર જેવી આયાતી વસ્તુઓના સંદર્ભમાં. ફરીથી આવા સંજોગોમાં આ પગલુ વિવિધ કોમોડિટીઝના ઇનપુટના ભાવમાં વધારા સાથે સામાન્ય લોકો પર બોજ વધુ વધારશે. તેમણે કહ્યુ કે ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ વગેરે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના 55 ટકા સુધી પહોંચી ગયા છે અને તેની ગરમી ટૂંક સમયમાં સામાન્ય ઘર સુધી પહોંચશે.

સાહનીએ એમ પણ કહ્યુ હતુ કે 2023-24 માટે આરબીઆઈનું જીડીપી અનુમાન 6.4 ટકા છે અને વાર્ષિક સરેરાશ ફુગાવો 5.3 ટકા છે, જે અર્થતંત્રને ગરમ કરે તેવી શક્યતા નથી અને ન તો આરબીઆઈ તેની વૈધાનિક ફુગાવાની જવાબદારી પૂરી કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભૌગોલિક રાજકીય અસ્થિરતાને લીધે, પ્રથમ કોવિડથી અને પછી યુક્રેન યુદ્ધના કારણે પુરવઠા-બાજુના અનેક વિક્ષેપોએ વ્યાજ દરો અને મુખ્ય ફુગાવા વચ્ચેની કડી નબળી પાડી છે. આને કારણે, સેવાઓ કરતાં માલસામાનમાં ફુગાવો વધુ અસ્થિર છે અને એકંદર મુખ્ય ફુગાવામાં વધારો થવાનું મુખ્ય કારણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X