અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌત
પંજાબના અમૃતસરમાં રાજાસાંસિ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયાની ખબર આવી રહી છે. આ ધમાકામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે અને 10 લોકો ઘાયલ થયા છે.
પંજાબના અમૃતસરમાં રાજાસાંસિ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયાની ખબર આવી રહી છે. આ ધમાકામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે અને 10 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિવારે સવારે મોટરસાઇકલ પર સવાર 2 લોકોએ ધાર્મિક ડેરામાં આ વિસ્ફોટક ફેંકીને ફરાર થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે જયારે આ ઘટના થઇ ત્યારે સમાગમ કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
શરૂઆતી તપાસમાં તેને આતંકી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી આખા પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે પણ રાજસ્થાન સાથે જોડાયેલી સીમાઓને સીલ કરી દીધી છે. પોલીસે અફવાહો પર ધ્યાન નહીં આપવા માટે અપીલ કરી છે.
આ હુમલામાં સૌથી પહેલું નિવેદન પંજાબ કોંગ્રેસ ચીફ સુનિલ ઝાકર ઘ્વારા આપવામાં આવ્યું છે. તેમને કહ્યું કે ઘટનામાં જીવ ગુમાવનાર લોકો સાથે મારી સંવેદના છે. આ પંજાબની શાંતિ ભંગ કરવાની કોશિશ છે. તેમને આગળ જણાવ્યું કે શાંતિ જાળવી રાખવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્ક રેહવું જોઈએ.
My condolences are with families of those who lost lives in this incident. It is an attempt to disturb peace in Punjab. I believe all the security agencies should stay alert and coordinate with each other to maintain peace: Sunil Jakhar, Punjab Congress Chief on Amritsar blast pic.twitter.com/hj83z45n6s
— ANI (@ANI) November 18, 2018