ખેડૂતો સામે ઝુકી સરકાર, હરિયાણા-પંજાબમાં રવિવારથી ખરીફ પાકની ખરીદી શરૂ થશે
કૃષિ કાયદાઓ પર ચાલી રહેલા આંદોલન વચ્ચે, હરિયાણા સરકારે શનિવારે ડાંગરની ખરીદીમાં વિલંબ માટે સ્થાનિક ખેડૂતની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરની ખરીદીની તારીખ લંબાવવામાં આવતાં રોષે ભરાયેલા હજારો ખે
કૃષિ કાયદાઓ પર ચાલી રહેલા આંદોલન વચ્ચે, હરિયાણા સરકારે શનિવારે ડાંગરની ખરીદીમાં વિલંબ માટે સ્થાનિક ખેડૂતની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરની ખરીદીની તારીખ લંબાવવામાં આવતાં રોષે ભરાયેલા હજારો ખેડૂતોએ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના કરનાલ નિવાસસ્થાનનો ઘેરાવ કર્યો હતો, જ્યારે પ્રદર્શનકારીઓએ રાજ્યમંત્રી કંવર પાલના નિવાસસ્થાન પાસે યમુનાનગરમાં પોલીસ બેરિકેડ તોડ્યા હતા. ખેડૂતોની નારાજગી વચ્ચે હવે CM ખટ્ટરે મોટી જાહેરાત કરી છે.
હરિયાણાના મુખ્યમંત્રી એમએલ ખટ્ટરે ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના રાજ્યમંત્રી અશ્વિની ચૌબેને મળ્યા બાદ જણાવ્યું હતું કે, "ચોમાસામાં વિલંબને કારણે કેન્દ્ર સરકારે આ વર્ષે 1 ઓક્ટોબરથી ડાંગર અને બાજરીની ખરીદીની શરૂઆત 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી. ટૂંક સમયમાં જ ખરીદી શરૂ કરવાની માંગને ધ્યાનમાં રાખીને, તે આવતીકાલથી એટલે કે રવિવારથી ફરી શરૂ કરવામાં આવશે. દરમિયાન, અશ્વિની કુમાર ચૌબેએ જાહેરાત કરી કે હરિયાણા તેમજ પંજાબમાં આવતીકાલ (3 ઓક્ટોબર) થી ખરીફ પાકની ખરીદી શરૂ થશે.
Due to delay in monsoon, Central Govt had postponed start of procurement of paddy & millet to Oct 11 from Oct 1 this year... There are demands for an early start. The procurement will start tomorrow: Haryana CM ML Khattar after meeting MoS Food & Consumer Affairs Ashwini Choubey pic.twitter.com/q3AKe3fr7L
— ANI (@ANI) October 2, 2021
જણાવી દઈએ કે, કૃષિ કાયદાઓના કારણે ખેડૂતોની નારાજગીનો સામનો કરી રહેલી ભાજપ શાસક સરકારે ખરીફ પાકની ખરીદીમાં વિલંબને કારણે ખેડૂતોના રોષનો સામનો કરવો પડે છે. તાજેતરમાં, હરિયાણા સરકારે વરસાદને કારણે પાકને ભેજ અને અયોગ્ય રીતે પકવવાને ટાંકીને ખરીદીની તારીખ વધારવા માટે એક પત્ર જારી કર્યો હતો. અગાઉ ડાંગરની ખરીદી 25 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ તેને 1 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારે હરિયાણા અને પંજાબને પત્ર લખીને પાકની ખરીદીની તારીખ 11 ઓક્ટોબર સુધી વધારવાનો નિર્દેશ આપ્યો હતો.