પુષપેન્દ્ર એન્કાઉન્ટર કેસઃ તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ
પુષપેન્દ્ર એન્કાઉન્ટર કેસઃ તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ
ઝાંસીઃ 6 ઓક્ટોબરે ઝાંસીમાં થયેલ પુષ્પેન્દ્ર યાદવના એન્કાઉન્ટર મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ મામલે ડીએમ ઝાંસીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. પુષ્પેન્દ્રના એન્કાઉન્ટર વિરુદ્ધ પ્રદર્શનકારીઓની સંખ્યા વધતી જઈ રહી છે. જેમાં બીએસએફના સસ્પેન્ડેડ સિપાહી તેજ બહાદુર યાદવનું નામ પણ સામેલ છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓને જેલ મોકલી આપ્યા છે.

જાણકારી મુજબ પુષ્પેન્દ્ર યાદવ મામલે પોલીસ જ્યાં એન્કાઉન્ટર અને હત્યાના મામલે ગૂંચવણમાં છે. જ્યારે વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની ઘોષણા બાદ ચર્ચામાં આવેલ સિપાહી તેજ બહાદુર સામેલ છે. સ્થિતિ પર નિયંત્રણ બન્યો રહે તે માટે પોલીસે ગુરુવારે કાર્યવાહી કરતાં 40 પ્રદર્શનકારીઓને જેલ મોકલી દીધા છે. અખિલેશ યાદવ અહીં પહોંચે તેના થોડા કલાકો પહેલા જ પ્રદર્શનકારીઓને જેલ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી પાછળ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાનો તર્ક આપ્યો છે. કસ્ટડીમાં લેવાયેલ તમામ પ્રદર્શનકારીઓને ઝાંસી જિલ્લા જેલ મોકલી દેવામાં આવ્યા છે.
જણાવી ધઈએ કે પુષ્પેન્દ્ર એન્કાઉન્ટર સવાલોના ગેરામાં છે. બીએસએફથી સસ્પેન્ડેડ સિપાહી તેજ બહાદુર યાદવ મંગળવારે ઝાંસી પહોંચ્યા હતા. જ્યાં સાંજે તેજબહાદુર સહિત 40 ગ્રામીણો મોંઠ તાલુકામાં શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા. તેજ બહાદુર સહિત તમામ પ્રદર્શનકારીઓની માંગ હતી કે પુષ્પેન્દ્ર યાદવનું એન્કાઉન્ટર કરનાર મોંઠના સબ ઈન્સપેક્ટર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી તેની તરત ધરપકડ કરવામાં આવે. હજુ ધરણા ચાલી રહ્યું હતું કે મોડી રાત્રે પોલીસે સખ્તી દેખાડતા અખિલેશ યાદવ ઝાંસી પહોંચે તે પહેલા જ ધરણા પ્રદર્શન કરી રહેલ તેજબહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
