150 કરોડનો સવાલ છે એટલે જુગાર રમવો જરૂરી છે : મનોહર પારિકર

પારિકરે જણાવ્યું કે "કેસિનો પાસેથી રાજ્ય સરકારને 150 કરોડની આવક મળે છે. હું વ્યક્તિગત રીતે કેસિનોનો વિરોધી છું. જો મેં કેસિનો બંધ કરાવ્યા તો તેમાંથી મળતી આવકની ભરપાઇ ક્યાંથી કેવી રીતે કરીશું."
ઉલ્લેખનીય છે કે પાછલી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પારિકરે કેસિનોનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં તેમણે અન્ય એક મુદ્દા પર જણાવ્યું કે જો પૂરોગામી કોંગ્રેસની આગેવાનીવાલી પ્રદેશ સરકારના કાર્યકાળમાં થયેલા કૌભાંડોની તપાસ કરવામાં આવે તો પ્રદેશ પ્રશાસનના અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.
તેમણે જણાવ્યું કે એક રીતે જોઇએ તો એક પણ સરકારી અધિકારી એવો નથી જેણે અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી ના હોય. હું કડક બનીશ તો અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.












Click it and Unblock the Notifications
