For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

150 કરોડનો સવાલ છે એટલે જુગાર રમવો જરૂરી છે : મનોહર પારિકર

|
Google Oneindia Gujarati News

manohar-parrikar
પણજી, 6 જુલાઇ : જુગાર રમવો શા માટે જરૂરી છે? કસિનો એટલે જુગારના અડ્ડાઓ શા માટે બંધ કરવામાં આવતા નથી તેનો જવાબ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર પાસે છે. મનોહર પારિકરનું કહેવું છે કે રાજ્યમાં કેસિનો બંધ કરવામાં નહીં આવે, કારણ કે આ 150 કરોડના રાજસ્વનો સવાલ છે. ગોવા સરકાર 150 કરોડની આવકનું નુકસાન ભોગવવા તૈયાર નથી.

પારિકરે જણાવ્યું કે "કેસિનો પાસેથી રાજ્ય સરકારને 150 કરોડની આવક મળે છે. હું વ્યક્તિગત રીતે કેસિનોનો વિરોધી છું. જો મેં કેસિનો બંધ કરાવ્યા તો તેમાંથી મળતી આવકની ભરપાઇ ક્યાંથી કેવી રીતે કરીશું."

ઉલ્લેખનીય છે કે પાછલી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પારિકરે કેસિનોનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં તેમણે અન્ય એક મુદ્દા પર જણાવ્યું કે જો પૂરોગામી કોંગ્રેસની આગેવાનીવાલી પ્રદેશ સરકારના કાર્યકાળમાં થયેલા કૌભાંડોની તપાસ કરવામાં આવે તો પ્રદેશ પ્રશાસનના અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.

તેમણે જણાવ્યું કે એક રીતે જોઇએ તો એક પણ સરકારી અધિકારી એવો નથી જેણે અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી ના હોય. હું કડક બનીશ તો અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.

English summary
Question of 150 crore, that's why casinos are open : Manohar Parrikar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X