For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાધે માંએ કસમ ખાધી, હવે ક્યારેય પણ ભક્તોના ખોળામાં નહીં બેસું

પોતાના ડાન્સ અને વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ધર્મગુરુ રાધે માં ફરી એકવાર સમાચારોમાં છે.

|
Google Oneindia Gujarati News

પોતાના ડાન્સ અને વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ધર્મગુરુ રાધે માં ફરી એકવાર સમાચારોમાં છે. રાધે માં ઘ્વારા કસમ ખાવામાં આવી છે કે તેઓ હવે ક્યારેય પણ ભક્તોના ખોળામાં બેસીને ડાન્સ નહીં કરે. ખરેખર રાધે માની જુના અખાડામાં વાપસી થઇ ચુકી છે. રાધે માં ઘ્વારા લેખિતમાં માફીનામું આપવામાં આવ્યું છે, જેમાં તેમને કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં એવું કોઈ પણ કામ નહીં કરે જે અખાડાના નિયમો વિરુદ્ધ હોય. માફીનામું આપ્યા પછી જુના અખાડાએ રાધે માનું નીલંબન રદ કર્યું અને તેમની મહામંડલેશ્વરની પદવી પણ તેમને પાછી આપી.

માફીનામામાં રાધે માએ શુ લખ્યું?

માફીનામામાં રાધે માએ શુ લખ્યું?

આપને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં અખાડા તરફથી ઢોંગી બાબા અને સંતો અંગે એક લિસ્ટ જાહેર કરવામાં આવી, જેમાં રાધે માનું નામ પણ શામિલ હતું. રાધે માં સહીત પાયલોટ બાબાની પણ અખાડામાં વાપસી થઇ છે. રાધે માએ જુના અખાડામાં એક માફીનામું આપ્યું છે. રાધે માએ લિખિતમાં માફીનામું આપીને કસમ ખાધી છે કે તેઓ હવે ક્યારેય પણ ભક્તોના ખોળામાં બેસીને ડાન્સ નહીં કરે. રાધે માં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એવું કોઈ કામ નહીં કરે જે અખાડાના નિયમની વિરુદ્ધ હોય.

 રાધે માની વાપસી પર વિવાદ

રાધે માની વાપસી પર વિવાદ

અખાડામાં રાધે માની વાપસી પછી કુંભ મેળામાં મહામંડલેશ્વર તરીકે રાધે માને જમીન અને બીજી કેટલીક સુવિધાઓ મળશે. અખાડામાં રાધે માની વાપસી થવા પર વિવાદ થઇ રહ્યો છે. રાધે માને અખાડામાં ફરી શામિલ કરવા પર ઘણા સાધુ સંતો ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી ઘ્વારા અખાડાને પ્રાર્થના કરી કે તેઓ પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે.

કોણ છે રાધે માં

કોણ છે રાધે માં

પંજાબના દોરાંગલાની નિવાસી રાધેમાંએ પંજાબથી પોતાનો ચમત્કારો દેખાડવાનું શરૂ કર્યું હતું પણ ત્યારે તે સાદગીમાં જ રહેતી હતી. પણ ગુપ્તા પરિવારમાં આવ્યા બાદ રાધેમાંને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમના દસે હાથમાં હીરાની વીંટીઓ હોય છે એટલું જ નહીં તેમના મેકઅપ માટે એક આખી ટીમ છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે.

હાથમાં ત્રિશુળ

હાથમાં ત્રિશુળ

રાધે માના હાથમાં લગભગ એક ફુટ લાંબુ ધાતુનું ત્રિશુળ હોય છે. ભક્તોના કહેવા મુજબ આ ત્રિશુળ થકી જ તે ભગવાનથી જોડાય છે. જ્યારે પણ તે ભક્તોની સામે આવે છે તેમના હાથમાં આ ત્રિશુળ અવશ્ય હોય છે. રાધે મા આમ તો ચૂપ જ રહે છે પણ ભક્તોનું કહેવું છે કે તે બોલે છે. તેમનું પસંદગીનું પ્રવચન છે ભક્તી કરો.

ડૉલી બિન્દ્રાએ રાધે મા પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

ડૉલી બિન્દ્રાએ રાધે મા પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

ડૉલી બિન્દ્રાએ ગૉડ મધર રાધે મા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચંદીગઢમાં એક મોટા પોલિસ અધિકારીના ઘરે તેનું યૌન શોષણ કરાવ્યુ છે. બિન્દ્રાએ આ વિશે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે વર્ષ 2015માં રાધે મા અને તેમના ભક્તોએ તેમને ચંદીગઢ સ્થિત પંજાબ પોલિસના એક મોટા અધિકારીના ઘરે યૌન શોષણનો શિકાર બનાવી હતી. આના વિરોધમાં તેમણે તરત જ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ રાધે મા અને પોલિસ અધિકારીની ઉંચી પહોંચના કારણે સમગ્ર મામલો રફે-દફે કરી દેવાયો. બિન્દ્રાએ કહ્યુ કે તેમણે પોતાની સાથે થયેલી ગંદી હરકતની ફરિયાદ પોલિસમાં પણ કરાવી હતી પરંતુ પોલિસે સમગ્ર મામલે કોઈ પગલાં લીધા નહોતા.

English summary
Radhe Maa Back in Juna Akhara, Will Come in Prayagraj Kumbh Mela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X