ના જેલની દિવાલોથી ડરીએ છીએ ના ફાંસીના ફંદાથી... હસીને કરીશ કુર્બાન જવાની - રાઘવ ચઢ્ઢા
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન આપ્યુ જે શાયરી દ્વારા આપ્યુ.
નવી દિલ્લીઃ દિલ્લીમાં જ્યારથી દારૂનીતિ પર કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારથી આપ અને કેન્દ્રની ભાજપ સરકાર સામ-સામે આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા તેમજ ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ગુજરાત હવે પરિવર્તન માંગી રહ્યુ છે અને માટે આમ આદમી પાર્ટી અહીં આવી છે. જે રીતે રાજ્યમાં પાર્ટીને સમર્થન મળી રહ્યુ છે તેનાથી ભાજપ અકળાયુ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પૂરુ જોર લગાવી રહી છે. પંજાબમાં વિજય મેળવ્યા બાદ આપની નજર ગુજરાત પર છે. લગભગ દર સપ્તાહે આપનો કોઈ મોટા નેતા ગુજરાત પ્રવાસે હોય છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન આપ્યુ જે શાયરી દ્વારા આપ્યુ. તેમણે કહ્યુ કે અમે માત્ર સત્તા બદલવાની વાત નથી કરી રહ્યા પરંતુ ભાજપ શાસન દરમિયાન જે ખામીઓ જડ જમાવી ચૂકી છે તેને બદલવા માટે આવ્યા છે.
ભાજપ પર સાધ્યુ નિશાન
રાઘવ ચઢ્ઢાએ શાયરી દ્વારા પોતાના અને પાર્ટીના ઈરાદાઓને કંઈક આ રીતે વ્યક્ત કર્યા. 'હમ અપને ખૂન સે લિખે કહાની એ વતન મેરે કરે કુર્બાન હંસ કર યે જવાની એ વતન મેરે' ગુજરાત પરિવર્તન માંગી રહ્યુ છે અને દરેક આમ આદમી પાર્ટીના વધતા પગલાંથી ભાજપની ઉંઘ ઉડી ગઈ છે. અમે ભગત સિંહના અનુયાયી છે - 'ના તમારી જેલની દિવાલોથી ડરીએ છીએ અને ના ફાંસીના ફંદાથી. ઈંકલાબ ઝીંદાબાદ.'
'हम अपने खून से लिखें कहानी ऐ वतन मेरे
— Raghav Chadha (@raghav_chadha) September 30, 2022
करें कुर्बान हंस कर ये जवानी ऐ वतन मेरे'
गुजरात बदलाव मांग रहा है और हर दिन आम आदमी पार्टी के बढ़ते कदम देख भाजपा की नींद उड़ गई है.
हम भगत सिंह के अनुयायी हैं - ना तुम्हारी जेल की दीवारों से डरते हैं ना फांसी के फंदे से.
इंकलाब ज़िंदाबाद https://t.co/jA1BPnoZzg
અરવિંદ કેજરીવાલે શું કહ્યુ
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કર્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનુ ચાલુ કર્યુ છે, હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને શું આરોપ હશે, એ હજુ આ લોકો બનાવી રહ્યા છે. પરંતુ ભાજપની કોશિશ જનતા સમજી રહી છે અને સમય આવવા પર જવાબ જરુર આપશે. જે રીતે પંજાબની જનતાએ કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપને નકારી દીધી તે રીતે ગુજરાતની જનતા પણ ભાજપ અને કોંગ્રેસને નકારી દેશે.