ઉત્તર પ્રદેશમાં 30 ઓક્ટોબરથી શંખનાદ કરશે કોંગ્રેસ

લખનઉ, 21 ઓક્ટોબર: ભાજપાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ઓક્ટોબરના રોજ વિશાળ રેલી કરીને લોકસભાની સૌથી વધારે બેઠક ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં રેલી કરીને પોતાના અભિયાનની શરૂઆત કરી દીધું છે. હવે કોંગ્રેસ પણ ઉત્તર પ્રદેશમાંથી પોતાનો ચૂંટણી શંખનાદ કરવા જઇ રહી છે.

મોદીના નિશાના પર રાહુલ અને કોંગ્રેસ રહ્યા તો હવે ભાજપાને જવાબ આપવા માટે રાહુલે પણ કમર કસી લીધી છે. રાહુલ પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરવાના છે, પરંતુ કોંગ્રેસનો આ ચાંદ ઉત્તર પ્રદેશમાં કરવા ચોથ બાદ જ દેખાશે.

rahul gandhi
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી 30 ઓક્ટોબરના રોજ યુપીમાં બે રેલીઓ સંબોધવા જઇ રહ્યા છે. બે જનસભાઓને સંબોધિત કરશે. તેમની આ રેલી દેવરીયાથી શરૂ થશે. પહેલી જનસભા 30 ઓક્ટોબરના રોજ દેવરિયાના સલેમપુરમાં અને બીજી રેલી હમીરપુરના રાઠમાં થશે. ધ્યાન આપનાર વાત એ છે કે પહેલા આ રેલી 22 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી, પરંતુ કરવાચોથના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ડો. નિર્મલ ખત્રીએ જણાવ્યું કે સંગઠન રાહુલની જનસભાઓને સફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે લાગી ગયું છે. મોદીની રેલીમાં ભારે જનમેદનીના જોતા કોંગ્રેસ પણ રાહુલની આ જનસભાઓને લઇને ખાસી ઉત્સાહીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X