‘ચોકીદાર ચોર છે' પર રાહુલ ગાંધીએ માની સોગંદનામામાં ત્રણ ભૂલો, માંગી માફી
ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચોકીદાર ચોર છે મામલે માનહાનિનો કેસ કરાવ્યો છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.
ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચોકીદાર ચોર છે મામલે માનહાનિનો કેસ કરાવ્યો છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અવગણના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાની ભાષા પર નારાજગી વ્યક્ત કરી. સીજેઆઈએ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યુ કે બ્રેકેટમાં અફસોસ વ્યક્ત કરવાનો શું અર્થ હોય છે. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ આ કેસમાં રાહુલ ગાંધીએ માફી માંગી છે.
સોગંદનામા પર કોર્ટે રાહુલ ગાંધીની કરી ઝાટકણી
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભાજપના સાંસદ મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ કે તે જાણી જોઈને અદાલતના મોઢામાં પોતાના શબ્દો નાખવા માંગે છે. તેમણે માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે જ્યારે અવગણના કેસમાં કાયદો સ્પષ્ટ છે જે કોઈ શરત વિના માફી સાથે શરૂ થાય છે. અદાલતે રાહુલ ગાંધીના વકીલને પૂછ્યુ કે જ્યારે કોર્ટે આ વાત (ચોકીદાર ચોર છે) કહી જ નથી તો આવુ કેમ બોલવામાં આવી રહ્યુ છે.
Contempt case against Rahul Gandhi in Supreme Court: Matter to be now heard on May 6
— ANI (@ANI) 30 April 2019
6 મેના રોજ આગામી સુનાવણી
ભાજપ સાંસદના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ કે તે સતત આને પોતાની જીત ગણાવી રહ્યા છે. કોર્ટે જ્યારે કોઈ રાજકીય નારાને મહત્વ નથી આપ્યુ તો તે આનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીએ સોગંદનામુ દાખલ કરીને સમગ્ર મામલે અફસોસ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને નવુ સોગંદનામુ દાખલ કરવાની અદાલતે મંજૂરી આપી છે. રાહુલ ગાંધીના વકીલે કહ્યુ કે 6 મેના રોજ બીજુ સોગંદનામુ દાખલ કરશે. આ કેસમાં આગામી સુનાવણી પણ આ દિવસે થશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જાહેર સ્થળોએ થૂકવા પર સામાન્ય જનતાને 100, વેપારીઓને 2000 રૂપિયાનો દંડ