Article 370 હટાવવા પર રાહુલ ગાંધીએ ચુપ્પી તોડી, કંઈક આવું કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે. જેમાં મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર જમીનના ટુકડાઓ નહીં પણ તેના લોકોથી બનેલો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે, "જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચીને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેદ કરીને અને બંધારણનું ઉલ્લંઘન કરીને દેશ એકીકૃત થઈ શકશે નહીં." દેશ તેના લોકોથી બનેલો છે, જમીનના ટુકડાઓથી નહીં સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે જીવલેણ સાબિત થશે.
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારના નિર્ણયનો સખ્ત વિરોધ કર્યો અને રાજ્યસભામાં આ દરખાસ્ત વિરુદ્ધ મત આપ્યો. નોંધપાત્ર રીતે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના કેન્દ્ર સરકારના પગલાને સમર્થન આપ્યું હતું અને, તેમના પક્ષના વલણની વિરુદ્ધ કહ્યું હતું કે સરકારે એક એતિહાસિક ભૂલ સુધારી છે.
National integration isn’t furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating our Constitution. This nation is made by its people, not plots of land.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2019
This abuse of executive power has grave implications for our national security.
દ્વિવેદીએ કહ્યું કે આ રાષ્ટ્રીય સંતોષની વાત છે કે સ્વતંત્રતા સમયે થયેલી ભૂલ સુધારી છે. તેમણે કહ્યું કે આ બહુ જ જુનો મુદ્દો છે. આઝાદી પછી, ઘણા સ્વતંત્રતા સેનાનીઓ ઇચ્છતા ના હતા કે આર્ટિકલ 370 રહે. મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયા શરૂઆતથી જ ધારા 370 નો વિરોધ કરતા હતા. મારી વ્યક્તિગત દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય સંતોષની વાત છે.
આ પણ વાંચો: સેનાએ એલઓસી પર ઘૂસણખોરીની મોટી કોશિશ નિષ્ફળ બનાવી