રામદેવની હાલત પણ આસારામ જેવી જ થશે: લાલૂ પ્રસાદ યાદવ
પટણા, 16 જાન્યુઆરી: કોંગ્રેસે પોતાના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નામની વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં જાહેરાત કરેશે કે નહી, તેના વિશે 17 જાન્યુઆરીએ ખબર પડી જશે પરંતુ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના જણાવ્યા અનુસાર યુવા નેતા રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની બધી ખૂબીઓ છે અને તે સાંપ્રદાયિક નરેન્દ્ર મોદીથી કરતાં સારા સાબિત થશે.
પત્રકારો સાથે વાતચીત કરતાં લાલૂ પ્રસાદ યાદવે રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે શું ખોટ છે તેમના વડાપ્રધાન બનવામાં, તે વડાપ્રધાન બનવા માટેના તમામ ગુણ ધરાવે છે. રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી કરતાં વડાપ્રધાન પદ માટે સારા ઉમેદવાર ગણાવતાં પૂછ્યું કે તેમને કોઇ સાંપ્રદાયિક રમખાણોને હવા આપવા અથવા કોઇ સમુદાય વિશે કોઇ ગુનામાં તેમની સંલિપ્તતા રહી છે.
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનની આકાંક્ષા ધરાવનાર આરજેડી સુપ્રીમોએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની જેમ પ્રશંસા કરતાં તેમના વિરોધી તેમને ચાપલૂસ હોવાનો આરોપ લગાવી શકે છે પરંતુ ખરેખર તે પીએમ મટેરિયલ છે. પટનાના દસ સકરૂલર રોડ સ્થિત પોતાની પત્ની રાબડી દેવીના આવાસ પર મકર સંક્રાંતિના અવસર પર અલ્પસંખ્યક સમુદાય માટે આજે વિશેષ રીતે આયોજિત ચૂડા-દહી ભોજના સમયે પત્રકારો સાથે વાતચીત કરતાં યોગગુરૂ રામદેવ પર વરસતાં તેમના વિશે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ તેમની સ્થિતી આસારામ બાપુ જેવી થવાની છે.
નરેન્દ્ર મોદીનું સમર્થન ન કરી રહેલાં આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે ભગવાન કૃષ્ણના બદલે કંસ ગણાવતાં રામદેવ વિશે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તે એ જ માર્ગે ચાલી રહ્યાં છે જેના પર આસારામ ચાલી રહ્યાં હતા અને રામદેવની પણ હાલત આસારામ જેવી થશે. લાલૂ પ્રસાદ યાદવે રામદેવ પર સંતના વેશમાં રાજકારણમાં રસ ધરાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તે જનતાને કહે કે પતંજલિ યોગપીઠ દ્વારા વેચવામાં આવતાં લોટમાં કેટલીક વિષાક્ત વસ્તુ ભેળવી હશે એટલા માટે તે ન ખરીદે.

રામદેવ વિશે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 'સાધુના વસ્ત્રો પહેરીને રોજ બકબક કરે છે અને આજકાલ નરેન્દ્ર મોદીને ગુરૂ બનાવી દિધા છે.' તેમને કહ્યું હતું કે એ જરૂરી છે કે સાચો સાધુ અને રામદેવી જેવા નકલી સાધુ વચ્ચે ફરક સ્થાપિત કરવો જરૂરી છે.
લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે એક નવી પદ્ધતિથી જનસભા અને લાઉડસ્પીકરના બદલે 'કાનોકાન' પ્રચાર અભિયાનની શરૂઆત કરવાની ચર્ચા કરતાં તેને ધ્યાનમાં રાખતાં તેમને આગામી 23 ફેબ્રુઆરીના રોજ પટણામાં આયોજીત આરજેડીની રેલીને રદ કરી દિધી છે. તેમને કહ્યું હતું કે લોકોને જનસભામાં બોલાવવાના બદલે તેમના ઘરે ઘરે જશે.
પોતાના ઘોર વિરોધી બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારને આગામી લોકસભા ચૂંટણીમાં કોઇ મુદ્દો નહી ગણાવતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે આ પ્રદેશની કુલ 40 લોકસભા સીટો પર સીધો મુકાબલો આરજેડી-કોંગ્રેસ-લોજપા ગઠબંધન તથા ભાજપની વચ્ચે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના છપરા સંસદીય સીટ પરથી ગત લોકસભા ચૂંટણીમાં વિજયી રહેલા લાલૂ પ્રસાદ યાદવ ચારા ગોટાળાના એક કેસમાં રાંચીની સીબીઆઇ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા સંભળાવી હોવાથી તે હવે ચૂંટણી લડી શકશે નહી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
