શહેરી બેરોજગારી દરમાં વધારાને લઈને રાહુલ ગાંધીનુ કેન્દ્ર પર નિશાન, દેશને અંધેરી નગરી બનાવી દીધી
શહેરી બેરોજગારીને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય(NSO)ના શહેરી બેરોજગારીને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ એક અખબારનુ કટિંગ શેર કરીને ટ્વિટર પર લખ્યુ છે, 'દેશનો 'વિકાસ' કરીને એક 'આત્મનિર્ભર' અંધેર નગરી બનાવી દીધી.'
શહેરી બેરોજગારી દર 2.4 ટકા વધ્યો
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે દેશમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડાઓ મુજબ ગયા એક વર્ષમાં શહેરી બેરોજગારી દરમાં 2.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. શહેરી બેરોજગારી દર 7.8 ટકાથી વધીને 10.3 ટકા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી આગામી ચૂંટણી પહેલા જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. કટડા પહોંચીને રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરીને કહ્ય હતુ કે હું અહીં કોઈ રાજકીય ટિપ્પણી કરવા નથી આવ્યો. અહીં રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી.