રાહુલે કર્યો કટાક્ષઃ મીડિયાએ જો મનની વાત લખી દીધી તો મોદીજી દંડા મારશે
પીએમ મોદીના બહાને પ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે જો તેમણે પોતાના ‘મનની વાત' કહી તો તેમને દંડા પડશે. નરેન્દ્ર મોદીજી મારશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી નામાંકર કર્યા બાદ સોમવારે પોતાની લોકસભા વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. તિલોઈમાં આયોજિત જનસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. પીએમ મોદીના બહાને પ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે જો તેમણે પોતાના 'મનની વાત' કહી તો તેમને દંડા પડશે. નરેન્દ્ર મોદીજી મારશે. રાહુલ ગાંધીએ આ રેલીમાં પીએમ મોદીને જીએસટી, નોટબંધી, દેવામાફી જેવા ઘણા મુદ્દે જોરદાર ઘેર્યા.
સોમવારે અમેઠીમાં પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલા નારા હતા કે અચ્છે દિન આએંગે. જુઓ હવે નવો નારો આવી ગયો છે, ચોકીદાર ચોર છે. આ નારા પર પ્રેસવાળા પણ હસી રહ્યા છે, તેમને પણ હસવુ આવી રહ્યુ છે. રાહુલ બોલ્યા કે હું તમને જણાવી દઉ કે આમને હસવુ કેમ આવી રહ્યુ છે. જો તેમણે પોતાના મનની વાત કરી દીધી તો દંડા પડશે, મોદીજી મારશે કારણકે તેમને આખો દિવસ નરેન્દ્ર મોદીની વાત કેમેરાથી લેવી પડે છે એટલે હસવુ આવી રહ્યુ છે.
#WATCH Rahul Gandhi in Amethi: Press wale has rahe hain kyunki inhone agar apne 'mann ki baat' kardi to inko do dande padenge, Narendra Modi ji maarenge........ghabraiye mat 2019 ke chunaav ke baad aapko jo likhna ho likhna, humare khilaaf bhi likhna hoga likh lena. pic.twitter.com/PxQOl7jTYB
— ANI UP (@ANINewsUP) 22 April 2019
રાહુલે આગળ કહ્યુ કે ગભરાવો નહિ, 2019ની ચૂંટણી પછી તમારે જે લખવુ હોય તે લખજો. અમારા વિરોધમાં પણ લખવુ હોય તો લખી લેજો. રાહુલ ગાંધીએ એલાન કર્યુ કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ દેવુ ન ચૂકવવા પર ખેડૂતોને જેલ નહિ મોકલવામાં આવે. અમેઠીની જનતાને વચન આપ્યુ કે મોદી સરકારે તમારી પાસેથી જેટલુ છીનવ્યુ છે તેનાથી બમણુ પાછુ આપવામાં આવશે. ફૂડ પાર્કમાં 100 ઉદ્યોગ લગાવવાનું વચન. પાંચ કરોડ પરિવારને દર વર્ષે 72 હજાર રૂપિયા આપીશુ.
રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીએ દેશના 15 લોકોને કરોડો રૂપિયા આપ્યા. અમે ગરીબોને ન્યાય આપીશુ. નરેન્દ્ર મોદીએ ગબ્બર ટેક્સ લગાવ્યો. તમારા ખિસ્સામાંથી પૈસા નીકળ્યા અને પેલા ચોરોના હાથમાં ગયા. જેવો તમે માલ ખરીદવાનો બંધ કર્યો. હિંદુસ્તાનની ફેક્ટરીએ માલ બનાવવાનો બંધ કરી દીધો. આનાથી બેરોજગારી વધી ગઈ. તમે મને જાણો છો કે હું ખોટુ નથી બોલતો. હું અમેઠી, રાયબરેલી તેમજ હિંદુસ્તાનની જનતાને કહેવા ઈચ્છુ છુ કે 22 લાખ નોકરીઓ ખાલી પડી છે. એક વર્ષમાં આ નોકરીઓ ભરી દઈશ. 10 લાખ યુવાનોને પંચાયતોમાં નોકરીઓ આપી શકાય છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ 'સુપ્રીમે માન્યુ ચોકીદાર ચોર છે' વાળા નિવેદન પર વ્યક્ત કર્યો અફસોસ