રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું, કોંગ્રેસે વાતનું ખંડન કર્યું
રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું, કોંગ્રેસે વાતનું ખંડન કર્યું
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મળેલ હાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંદી સમક્ષ અધ્યક્ષ પદેથી રાજીનામું રજૂ કર્યું છે, સૂત્રો મુજબ રાહુલ ગાંધીના રાજીનામાની વાત પર સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ તેમને સમજાવ્યા કે આવી વાત પાર્ટી ફોરમમાં રાખવી જોઈએ, જો કે કોંગ્રેસે આ બધી જ વાતોનું ખંડન કર્યું છે.

જો કે રાહુલ ગાંધીના રાજીનામાના અહેવાલો વાળી વાતને પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ નકારી કાઢી છે, તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ અહેવાલ પાયાવિહોણા છે અને રાહુલ ગાંધીએ આવી કોઈ રજૂઆત નથી કરી. સુરજેવાલાએ કહ્યું કે આ સંબંધમાં પ્રેસ કોન્ફ્રેસમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો.
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણાના ટ્રેન્ડ્સમાં ભાજપને ભારે જીત નસીબ થઈ છે, ભાજપ આ વખતે ફરીથી પ્રચંડ બહુમતની સરકાર બનાવવા જઈ રહ્યું છે, જીત બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે થેન્ક યૂ ઈન્ડિયા, અમારા ગઠબંધનમાં વિશ્વાસ યથાવત છે અને તે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમને વધુ મહેનત કરવાની શક્તિ આપે છે. દ્રઢ નિશ્ચય, દ્રઢતા અને આકરી મહેનત માટે વધુ મહેનત માટે હું ભાજપના દરેક કાર્યકર્તાને સલામ કરું છું. તેઓ અમારા વિકાસના એજન્ડા પર વિસ્તૃત રૂપે ઘરે-ઘરે ગયા.
આ પણ વાંચો- મોદીની જીત બાદ આતંકી ઝાકિર મૂસા ઠાર મારાયો, કાશ્મીરમાં કર્ફ્યૂ
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
