સુપ્રીમે સજા પર રોક લગાવ્યા બાદ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- કઇ પણ થાય, મારૂ કર્તવ્ય એ જ રહેશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શુક્રવારે 'મોદી સરનેમ કેસ'માં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે બદનક્ષીનો દોષી સાબિત થવા બદલ તેમને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.
રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ બાદ હવે તેમની પહેલી પ્રતિક્રિયા આવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ગમે તે થાય, મારી ફરજ એ જ રહેશે. ભારતના વિચારનું રક્ષણ.

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂર્ણેશ મોદીના વકીલને કહ્યું, 'અમે જાણવા માંગીએ છીએ કે શા માટે મહત્તમ સજા આપવામાં આવી. જો ન્યાયાધીશે 1 વર્ષ અને 11 મહિનાની સજા પણ આપી હોત તો તેને ગેરલાયક ઠેરવવામાં ન આવ્યો હોત.
તેના પર પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું કે આવી સજા સંભવતઃ એટલા માટે આપવામાં આવી છે કારણ કે રાહુલ ગાંધીને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો આ કેસમાં સજા એક દિવસથી પણ ઓછી હોત તો રાહુલ ગાંધી સાંસદ જ રહ્યા હોત.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે પક્ષકારો ઈચ્છે તો અપીલના તાત્કાલિક નિકાલ માટે અરજી કરી શકે છે અને કોર્ટ શક્ય તેટલી ઝડપથી અપીલનો નિકાલ કરી શકે છે. અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી રાહુલની સજા પર રોક રહેશે.
Come what may, my duty remains the same.
— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2023
Protect the idea of India.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે તો તેમને ચૂંટનાર સામાન્ય જનતાએ તેની સજા કેમ ભોગવવી જોઈએ. આવા સમયે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે જનતા (વાયનાડ)નો અવાજ ગૃહ સુધી કેમ ન પહોંચવો જોઈએ. આ સિવાય સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપતાં કહ્યું કે જાહેર જીવનમાં નિવેદનને લઈને સાવચેતી રાખવી જોઈએ.












Click it and Unblock the Notifications
