RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની આજે ભિવંડી કોર્ટમાં હાજરી
આરએસએસે વર્ષ 2014 માં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને 12 જૂને ભિવંડીની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
આરએસએસે વર્ષ 2014 માં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને 12 જૂને ભિવંડીની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી તે થાણેના ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા રવાના થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વાર દાખલ કરાયેલ એ કેસમાં રાહુલ ગાંધી હાજર થવાના છે જેમાં તેમણે આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 2014 માં એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આરએસએસે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો હતો. ભિવંડીના ન્યાયિક મેજિસ્ટ્રેટ એ એ શેખ આ મામલે આરોપ નક્કી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષનું નિવેદન નોંધવા ઈચ્છે છે.
છ માર્ચ 2014 ના રોજ આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ રાહુલ ગાંધી સામે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કુંતેએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે સંગઠનની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. આરએસએસના સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતેએ થાણેના ભિવંડીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની સામે કેસ ફાઈલ કરાવ્યો હતો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
