RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની આજે ભિવંડી કોર્ટમાં હાજરી
આરએસએસે વર્ષ 2014 માં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને 12 જૂને ભિવંડીની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
આરએસએસે વર્ષ 2014 માં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને 12 જૂને ભિવંડીની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી તે થાણેના ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા રવાના થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વાર દાખલ કરાયેલ એ કેસમાં રાહુલ ગાંધી હાજર થવાના છે જેમાં તેમણે આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે 2014 માં એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આરએસએસે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો હતો. ભિવંડીના ન્યાયિક મેજિસ્ટ્રેટ એ એ શેખ આ મામલે આરોપ નક્કી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષનું નિવેદન નોંધવા ઈચ્છે છે.
છ માર્ચ 2014 ના રોજ આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ રાહુલ ગાંધી સામે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કુંતેએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે સંગઠનની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. આરએસએસના સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતેએ થાણેના ભિવંડીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની સામે કેસ ફાઈલ કરાવ્યો હતો.