રાહુલ ગાંધી વડપ્રધાન મોદી પર વરસ્યા, શીખવી દેશભક્તિની પરિભાષા
વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ અંર્તગત એક જનસભાને સંબોધન કરતા સમયે તેમણે વડાપ્રધાનની નીતિઓની ટીકા કરી હતી.
વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ અંર્તગત એક જનસભાને સંબોધન કરતા સમયે તેમણે વડાપ્રધાનની નીતિઓની ટીકા કરી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ સશસ્ત્ર દળોના માટે અગ્નિપથ ભર્તી યોજના, નોટબંધી અને જીએસટીને ખોટી રીતે લાગુ કરવાની નીતિ જેવા નિર્ણયોના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

શું ચીન પર જૂઠ બોલવું એ દેશભક્તિ છે?
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારને સવાલ કર્યો કે, દેશમાં ખેડૂતોની લોન માફ ન કરવી એ દેશભક્તિ છે, ખોટો જીએસટી લાગુ કરવી એ દેશભક્તિ છે, દેશમાં નફરત ફેલાવવી એ દેશભક્તિ છે, કૃષિ કાયદા લાવવો એ દેશભક્તિ છે, બેરોજગારી દેશભક્તિ છે અને મોંઘવારી દેશભક્તિ છે. શું ચીન પર જૂઠ બોલવું એ દેશભક્તિ છે? દેશને તોડવો એ દેશભક્તિ નથી, પણ દેશને જોડવો એ સાચી દેશભક્તિ છે.
જેઓ સમાજને વિભાજન તરફ લઈ જાય છે અને પછી કહે છે કે, તેઓ દેશભક્ત છે
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેઓ મેડ ઈન ચાઈના ઉત્પાદનો ઈચ્છે છે. કારણ કે, તેનાથી દેશના બે-ત્રણ અબજોપતિઓને ફાયદો થશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દેશમાં શું કરી રહ્યા છે. નોટબંધી હોય, અગ્નિવીર હોય, જીએસટી હોય, તેમની તમામ નીતિઓ લોકોમાં ડર પેદા કરી રહી છે. જે કારણે લોકો ભયભીત છે, તેમના હૃદયમાં નફરત છે. જેઓ સમાજને વિભાજન તરફ લઈ જાય છે અને પછી કહે છે કે, તેઓ દેશભક્ત છે.

આ ભારતની ભક્તિ નથી પણ આ ભક્તિ આરએસએસની છે
આ પહેલા સોમવારના રોજ એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આરએસએસની દેશભક્તિ શું છે? ખેડૂતોની લોન માફ ન કરવી એ દેશભક્તિ છે, ખોટો જીએસટી લાગુ કરવો એ દેશભક્તિ છે, દેશમાં નફરત ફેલાવવી એ દેશભક્તિ છે, બેરોજગારી એ દેશભક્તિ છે અને મોંઘવારી એ દેશભક્તિ છે. આ ભારતની ભક્તિ નથી પણ આ ભક્તિ આરએસએસની છે.
7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી.કર્ણાટક કોંગ્રેસ અનુસાર, રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 20 મિનિટનું વર્કઆઉટ કરે છે. રાહુલ ગાંધી દરરોજ હળવો નાસ્તો કરીને 25 કિમી ચાલે છે.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરમાં વરસાદમાં ભીંજાતા ભીંજાતો ભાષણ આપી રહ્યા હતા. ભારે વરસાદમાં લોકો તેમને સાંભળવા ઉભા રહ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
