રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કોરોના પર કાબુ મેળવવા અમે સરકાર સાથે
દેશમાં વધતા કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
દેશમાં વધતા કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં રાહુલે પીએમ મોદીને સૂચન આપીને કહ્યુ છે કે આ કોરોના જેવા પડકારો સામે લડવા અને તેના પર કાબુ મેળવવામાં અમે સરકારની સાથે છે. આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કરેલા લૉકડાઉન દરમિયાન મજૂરો તેમજ ગરીબોને પોતાના ઘરો માટે પગપાળા જવા માટે આરોપ લગાવ્યો હતો કે આ ભયાનક સ્થિતિ માટે સરકાર જવાબદાર છે.

તેમણે કહ્યુ કે ભારતની પરિસ્થિતિ અલગ છે. આપણે બીજા દેશોની લૉકડાઉનની રણનીતિથી પણ વધુ પગલાં લેવા પડશે. તેમણે કહ્યુ કે આપણા દેશમાં રોજમદાર મજૂરોની સંખ્યા વધુ છે માટે આપણે આર્થિક ગતિવિધિઓ બંધ ન કરીએ શકીએ. સંપૂર્ણપણે આર્થિક બંદીના કારણે કોવિડ-19 વાયરસથી થતો મૃત્યુદર વધી જશે. વળી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે આ સ્થિતિ પર આપણને બધાને શરમ આવવી જોઈએ.
તેમણે ગરીબોને પગપાળા પલાયનનો એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યુ. આ મજૂર હિંદુસ્તાનીઓ સાથે આવો વ્યવહાર ન કરો. આપણને શરમ આવવી જોઈએ કે આપણે તેમને આ હાલતમાં છોડી દીધા છે. આ આપણા પોતાના છે. પ્રિયંકાએ કહ્યુ, મજૂર દેશની કરોડરજ્જુ છે. કૃપા કરીને મદદ કરો. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હજારો ગરીબ લોકો પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ - બિહાર પગપાળા જવા મજબૂર છે.
ગયા અઠવાડિયો કોંગ્રેસે કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે ખેડૂતો, મજૂરો અને ગરીબો સામે પેદા થયેલી મુશ્કેલી દૂર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલી લઘુત્તમ આવક યોજના(ન્યાય) લાગુ કરવા લોકોના ખાતાઓમાં તત્કાલ 7,500 રૂપિયાની રકમ મોકલવી જોઈએ. વાસ્તવમાં બરાબર એક વર્ષ પહેલા ગઈ લોકસભા ચૂંટણી સમયે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 25 માર્ચે ન્યાયનુ વચન આપ્યુ હતુ.
Congress MP Rahul Gandhi writes to Prime Minister Narendra Modi offering suggestions on #COVID19. Gandhi says 'we stand together with the government in fighting and overcoming this tremendous challenge' pic.twitter.com/nIUz2koIzy
— ANI (@ANI) March 29, 2020
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
