For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન સમાજને લઘુમતી દરજ્જો અપાવવાની તૈયારીમાં રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ચર્ચા કરી અને અનુરોધ કર્યો છે કે, જૈન સમુદાયને લઘુમતી દરજ્જો આપવામાં આવે, તેમ કોંગ્રેસના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રિય કક્ષાએ જૈન સમુદાયને લઘુમતી સમાજનો દરજ્જો આપવામાં આવે તે અંગે સમર્થન કરવા માટે કેન્દ્રિય મંત્રી પ્રદીપ જૈનના નેતૃત્વ હેઠળ જૈન નેતાઓનો સમૂહ કોંગ્રેસના ઉપાધ્યક્ષને મળ્યો હતો.

rahul-gandhi-jain-comunity
આ પહેલા, કોંગ્રેસે કહ્યું હતું કે, લાંબા સમયથી અટકેલી જૈન સમાજને લઘુમતી સમાજનો દરજ્જો આપવાની વાતનો નીવેડો આવે અને તેના નિરાકરણ માટે તેઓ સમર્થન કરે તે અંગે જૈન સમાજ નેતાએ રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. રાહુલે કહ્યું છે કે જૈન સમાજે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં દેશને ઘણી સહાય કરી છે.

તેમણે સમૂહને નિશ્ચિત કર્યું કે તે જૈન સમુદાય માટે બની શકે તેટલા મદદરૂપ થશે. સમૂહે રાહુલને કહ્યું કે જો જૈન સમાજને રાષ્ટ્રિય લઘુમતીનો દરજ્જો મળી જાય તો સમાજને કેન્દ્ર તરફથી મળતા વિવિધ ફંડ્સનો લાભ થઇ શકે.

English summary
Rahul Gandhi today spoke to Prime Minister Manmohan Singh and requested him to grant minority status to the Jain community, Congress sources said here. They said that the Congress Vice President spoke to Singh soon after a delegation of Jain leaders led by Union Minister Pradeep Jain had met him today to seek his support for the notification of Jains as a minority community at the national level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X