રેલ ગેટ : બંસલના સંબંધીઓની 105 કંપનીઓની તપાસ કરાશે

આ અંગે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે તમામ રિજનલ ડાયરેક્ટર અને તેમની હેઠળના રજિસ્ટ્રાર્સ ઓફ કંપની (ચંદીગઢ, ચેન્નાઇ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, બેંગલોર અને કોલકત્તા)ને 105 કંપનીઓના ચોપડાઓની ટેકનિકલ તપાસ એક મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
આ પહેલા ભાજપના લીડર અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે આ તમામ કંપનીઓ બંસલના સગા-સંબંધીઓની છે. આ મહિનાના પ્રારંભમાં સીબીઆઇએ બંસલના ભત્રીજા વિજય સાંગલા વિરુદ્ધ રિશ્વત આપવાનો કેસ નોંધતા પવન બંસલે પોતાનું પદ છોડવું પડ્યું હતું.
સોમૈયાએ એમસીએ સેક્રેટરીને 14 મેના રોજ પત્ર લખ્યો હતો. તેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે આ કંપનીઓના પ્રમોટર બંસલના પરિવારના જ લોકો અને તેમના નજીકના સગા છે. સોમૈયાએ એમ પણ જણાવ્યું કે આ કંપનીઓ અનેક ખોટા અને ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં સામેલ છે. તેમણે કંપનીઓના ચોપડા તપાસવાની માંગ કરી હતી. ભાજપના નેતાએ સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ પાસે પણ આ કંપનીઓની તપાસની માંગણી કરી હતી.
સોમૈયાએ દાવો કર્યો હતો કે 105માંથી 42 કંપનીઓ બંસલના નજીકના કુટુંબ સભ્યોની છે. તેમાં મિરાજ ઇન્ફ્રા લિમિટેડ અને થિયોન ફાર્માસ્ટુટિકલ્સનું નામ પણ તેમણે આપ્યું હતું અને જણાવ્યું કે આ કંપનીઓ ગેરકાયદેસર આર્થિક વ્યવહારમાં સંડોવાયેલી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
