રેલગેટ: પવન બંસલની આજે પૂછપરછ કરશે સીબીઆઇ

સૂત્રોએ જણાવ્યું કે બંસલ સાથે પૂછપરછ રેલવે બોર્ડ સભ્ય મહેશ કુમારની નિમણૂંકમાં તેમની ભૂમિકાને લઇને કરવામાં આવશે. આ મામલામાં તેમનો ભાણીયો વિજય સિંગલા સામેલ હતો, જેને 90 લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.
બંસલ કહેતા રહ્યા છે કે કુમારની નિમણૂંકમાં તેમનો કોઇ હાથ નથી. એ પદ ભારત સરકારના સચિવના પદની સમકક્ષ છે. બંસલને પોતાના ભાણીયા દ્વારા લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા બાદ રેલમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
સીબીઆઇ નિમણૂંક સાથે સંબંધિત બધી ફાઇલ તપાસ કરી ચૂકી છે અને કુમાર, બંસના ભાણીયા અને ખાનગી સચિવ રાહુલ ભંડારીનું નિવેદન નોંધી લીધું છે. સીબીઆઇ 16 એપ્રિલ મુંબઇમાં રેલવે બોર્ડ સસ્પેન્ડેડ સભ્યની સાથે બંસલની થયેલી બેઠક અંગે મળેલ પુરાવાઓથી તેમનો સામનો કરાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
