For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલગેટ: પવન બંસલની આજે પૂછપરછ કરશે સીબીઆઇ

|
Google Oneindia Gujarati News

pawan kumar bansal
નવી દિલ્હી, 4 જૂન: રેલવે લાંચ કૌભાંડમાં જુદા જુદા પાસાંઓની તપાસ કરી રહેલી સીબીઆઇ પૂર્વ રેલ મંત્રી પવન કુમાર બંસલની પૂછપરછ કરશે. સીબીઆઇએ પૂછપરછ માટે બંસલને નોટિસ મોકલાવી છે.

સૂત્રોએ જણાવ્યું કે બંસલ સાથે પૂછપરછ રેલવે બોર્ડ સભ્ય મહેશ કુમારની નિમણૂંકમાં તેમની ભૂમિકાને લઇને કરવામાં આવશે. આ મામલામાં તેમનો ભાણીયો વિજય સિંગલા સામેલ હતો, જેને 90 લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.

બંસલ કહેતા રહ્યા છે કે કુમારની નિમણૂંકમાં તેમનો કોઇ હાથ નથી. એ પદ ભારત સરકારના સચિવના પદની સમકક્ષ છે. બંસલને પોતાના ભાણીયા દ્વારા લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા બાદ રેલમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

સીબીઆઇ નિમણૂંક સાથે સંબંધિત બધી ફાઇલ તપાસ કરી ચૂકી છે અને કુમાર, બંસના ભાણીયા અને ખાનગી સચિવ રાહુલ ભંડારીનું નિવેદન નોંધી લીધું છે. સીબીઆઇ 16 એપ્રિલ મુંબઇમાં રેલવે બોર્ડ સસ્પેન્ડેડ સભ્યની સાથે બંસલની થયેલી બેઠક અંગે મળેલ પુરાવાઓથી તેમનો સામનો કરાવવામાં આવશે.

English summary
The CBI has summoned former Railway Minister Pawan Kumar Bansal for questioning today in connection with the railway bribery case. Agency sources said that Bansal has been called in the afternoon for questioning in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X