મોદી સરકારનું પહેલું રેલ બજેટ; બૂલેટ ટ્રેન, FDIની જાહેરાત સંભવ
નવી દિલ્હી, 8 જુલાઇ: નરેન્દ્ર મોદી સરકાર પોતાનું પહેલી રેલ બજેટ આજે રજૂ કરવા જઇ રહ્યું છે. રેલ મંત્રી ડીવી સદાનંદ ગૌડા આજે સંસંદમાં બપોરે 12 વાગ્યે હાલના નાણાકિય વર્ષ માટે રેલ બજેટ પ્રસ્તુત કરશે.
જાણકારી અનુસાર, આ રેલ બજેટમાં બહુપ્રતિક્ષિત બૂલેટ ટ્રેન ચલાવવા, હાઇ સ્પીડ ટ્રેન, રેલવેમાં એફડીઆઇ, નવી ટ્રેનો સહિતની ઘણી પ્રમુખ જાહેરાતો થઇ શકે છે. રેલ મંત્રી સદાનંદ ગૌડાએ સોમવારે જણાવ્યું કે તેમના મંત્રાલયે રેલ બજેટમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી પર ખાસુ ધ્યાન આપ્યું છે.
રેલવે બજેટ પહેલા રેલવે ભાડામાં વધારો કર્યા બાદ રેલ મંત્રી સદાનંદ ગૌડા રોકડાની ઊણપને ધ્યાનમાં રાખી આજે પોતાના પહેલા બજેટમાં નવી ટ્રેન, લાઇન તથા સર્વેની જાહેરાતના મામલામાં વ્યાવહારિક દ્રષ્ટિકોણ અપનાવી શકે છે.
ઇંધણના ભાવમાં વધારાને પગલે ઊર્જા તથા ડીઝલ જેવા વૈકલ્પિક ઊર્જા સ્રોતના દોહનનું એનડીએ સરકારના પહેલા બજેટમાં ઉલ્લેખ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે ક્ષેત્રમાં અક્ષય ઊર્જાનો ઉપયોગ ઇચ્છે છે જેથી ઇંધણ પર નિર્ભરતા ઓછી થઇ શકે. તેને જોતા બજેટમાં રેલવેમાં અક્ષય ઊર્જાના ઉપયોગ અંગે ઉલ્લેખ થઇ શકે છે. ગૌડા શતાબ્દી અને મુંબઇ ઉપનગરીય ટ્રેનોમાં દરવાજાના સ્વચાલિત બંધ થવાની પાયલટ પરિયોજનાની જાહેરાત કરી શકે છે. ટ્રેનોમાંથી મુસાફરો નીચે પડી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખી આવો નિર્ણય લેવાઇ શકે છે.
રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
રેલવે બજેટ પહેલા રેલવે ભાડામાં વધારો કર્યા બાદ રેલ મંત્રી સદાનંદ ગૌડા રોકડાની ઊણપને ધ્યાનમાં રાખી આજે પોતાના પહેલા બજેટમાં નવી ટ્રેન, લાઇન તથા સર્વેની જાહેરાતના મામલામાં વ્યાવહારિક દ્રષ્ટિકોણ અપનાવી શકે છે.

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
ઇંધણના ભાવમાં વધારાને પગલે ઊર્જા તથા ડીઝલ જેવા વૈકલ્પિક ઊર્જા સ્રોતના દોહનનું એનડીએ સરકારના પહેલા બજેટમાં ઉલ્લેખ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે ક્ષેત્રમાં અક્ષય ઊર્જાનો ઉપયોગ ઇચ્છે છે જેથી ઇંધણ પર નિર્ભરતા ઓછી થઇ શકે. તેને જોતા બજેટમાં રેલવેમાં અક્ષય ઊર્જાના ઉપયોગ અંગે ઉલ્લેખ થઇ શકે છે.

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
ગૌડા શતાબ્દી અને મુંબઇ ઉપનગરીય ટ્રેનોમાં દરવાજાના સ્વચાલિત બંધ થવાની પાયલટ પરિયોજનાની જાહેરાત કરી શકે છે. ટ્રેનોમાંથી મુસાફરો નીચે પડી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખી આવો નિર્ણય લેવાઇ શકે છે.

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
રેલવે બજેટમાં કેટલી નવી ટ્રેનોની પણ જાહેરાત થઇ શકે છે, તેમાંથી કેટલીક પ્રીમિયમ ટ્રેન પણ હોઇ શકે છે. સાથે જ વિભિન્ન તિર્થ સ્થળો માટે કેટલીંક નવી સેવાઓની જાહેરાત થઇ શકે છે.

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
રેલવે સ્ટેશનોના આધુનિકરણ તથા ઉચ્ચ ગતિવાળી ટ્રેન સહિત રેલવે સંબંધી જ માળખા સુવિધાઓના વિસ્તારને લઇને વિદેશી પૂંજી આકર્ષિત કરવાને લઇને સરકાર પ્રત્યક્ષ વિદેશી રોકાણ અંગે પોતાની નીતિનો ઉલ્લેખ કરી શકે છે.

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
રેલવે બજેટમાં ઉચ્ચ ગતિની ટ્રેનોને ચલાવવા માટે 'હીરક ચતુર્ભુજ' તૈયાર કરવા માટે કાર્ય યોજનાનો ઉલ્લેખ થશે.

રેલ બજેટ 2014માં મહત્વની જાહેરાતોની આશા
રેલવેની મોટી યોજનાઓમાં મોદી સરકાર ખાનગી કંપનીઓને પણ આમંત્રીત કરી શકે છે. હાલમાં જ વડાપ્રધાને જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ સ્ટેશનોના વિકાસ જેવા રેલવે ક્ષેત્રમાં રોકાણ માટે તૈયાર થશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
