રેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો, 25 જૂનથી અમલી
નવી દિલ્હી, 20 જૂન : રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે રેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન મુસાફરી 25 જૂનથી મોંઘી થઈ જશે. આમ કરવાથી રેલવેને રૂપિયા 8000 કરોડની આવક મળશે.
ભારતીય રેલવેએ માલની હેરફેર માટેના નૂરનાં દરોમાં પણ વધારો કર્યો છે. આ વધારો 6.5 ટકા છે. રેલવે મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, ઉતારુ ભાડાં અને નૂરનાં દરોમાં વધારો કરવાનું અનિવાર્ય છે, કારણ કે રેલવેની નાણાકીય સ્થિતિ એટલી સારી નથી.

આ પહેલાની યુપીએ સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે, ગયા ફેબ્રુઆરીમાં વચગાળાના રેલવે બજેટમાં ઉતારુ ભાડાંમાં વધારો કરવાનું ટાળ્યું હતું.
રેલવેએ ગઈ 16 મેના રોજ મુસાફરી ભાડાંમાં 14.2 ટકા અને 20 મેએ નૂરનાં દરોમાં 6.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, પણ તેનું નોટિફિકેશન બહાર પાડવાનું મોકૂફ રાખ્યું હતું અને તે નિર્ણય નવા રેલવે પ્રધાન પર છોડી દીધો હતો.
ભારતીય રેલવે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને વિસ્તારવા માટે નાણાની જરૂર છે. આ નાણા યાત્રી ભાડામાંથી વસૂલ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાનમાં પેસેન્જર સબ્સિડીનો આંક રૂપિયા 26,000 કરોડને સ્પર્શી ગયો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
