દિલ્લીમાં રેલવે લાઈન પાસેની 48 હજાર ઝુગ્ગીઓ નહિ હટાવીએઃ કેન્દ્ર સરકાર
દેશની રાજધાની દિલ્લીમાં રેલવે લાઈન પાસે બનેલી ઝુગ્ગીઓને હાલમાં નહિ હટાવવામાં આવે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં રેલવે લાઈન પાસે બનેલી ઝુગ્ગીઓને હાલમાં નહિ હટાવવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે હાલમાં તે દિલ્લીમાં રેલવે લાઈન પાસે બનેલી 48 હજાર ઝુગ્ગીઓને નહિ હટાવે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે રેલવે, કેન્દ્ર અને દિલ્લી સરકાર મળીને વાત કરશે અને ચાર સપ્તાહમાં ઉકેલ લાવશે. આ નિર્ણય બાદ 48 હજાર ઝુગ્ગીઓવાળા લોકોને મોટી રાહત મળશે.

કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે શહેરી વિકાસ મંત્રાલય, રેલ મંત્રાલય અને દિલ્લી સરકાર એક સાથે બેસીને ચાર સપ્તાહમાં આ બાબતે ઉકેલ લાવે ત્યાં સુધી ઝુગ્ગીઓને નહિ હટાવવામાં આવે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે આ કેસને ચાર સપ્તાહ માટે સ્થગિત કરી દીધો. તમને જણાવી દઈએ કે ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની ત્રણ સભ્યોની પીઠે તેમને ત્રણ મહિનાની અંદર હટાવવા માટે નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં રેલવેની જમીન પર વસેલી 48 હજાર ઝુગ્ગીઓને હટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે કોંગ્રેસ નેતા અજય માકનની અરજી પર સોમવારે સુનાવણી થઈ. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટીસ એએસ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુબ્રમણ્યમની સુપ્રીમ કોર્ટની બેંચે આ સુનાવણી કરી. આ બાબતે માકન તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીએ પક્ષ રાખ્યો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
