For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલ ઠાકરેની અંતિમ યાત્રામાં અડધેથી પાછા ફર્યા રાજ

|
Google Oneindia Gujarati News

thackeray-death-yatra
મુંબઇ, 18 નવેમ્બર : શિવ સેના સુપ્રીમો બાલ ઠાકરેના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે બાલા સાહેબ ઠાકરેની અંતિમ યાત્રાને અધવચ્ચે છોડીને ઘરે પાછા આવી ગયા હતા. બાલ ઠાકરેની યાત્રા દાદરમાં આવેલા શિવ સેના ભવન પહોંચવાની તૈયારી હતી ત્યારે જ રાજ ઠાકરે નીકળી ગયા હતા. કહેવામાં આવે છે કે તેઓ હવે સીધા જ શિવાજી પાર્ક પહોંચશે.

રાજ ઠાકરેએ જે કર્યું તે પાછળ ભલે કોઇ પણ કારણ હોય, પણ સમગ્ર દેશ તેમને ઉદ્ધવ ઠાકરે સાથે થયેલા મતભેદોનું જ પરિણામ સમજે છે. અન્ય નોંધપાત્ર બાબત એ પણ હતી કે સવારે માતોશ્રીથી જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે પણ કાકાને કાંધ આપવાને બદલે રાજ ઠાકરે અલગ રહ્યા હતા.

યાત્રા જ્યારે દાદર વિસ્તારમાં આવી ત્યારે અગમચેતી વાપરીને રાજ યાત્રામાંથી બહાર નીકળી ગયા હતા. મનસેના એક અગ્રણી નેતાએ જણાવ્યું કે સમગ્ર આયોજન શિવ સેનાનું હોવાને કારણે રાજ તેમાંથી ખસી ગયા હતા.

English summary
Raj return from half way of last procession Bal Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X